Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tarabh : રાયણનું 900 વર્ષ જૂનું વૃક્ષ અને ધૂણી આજે પણ હયાત

Tarabh : તરભ (Tarabh) વાળીનાથ મહાદેવ આ પાવનકારી સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે. ભારતમાં આ એક માત્ર એવું મંદિર છે કે જ્યાં દેવધી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. અને આ મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની માન્યતા રહેલી છે....
12:34 PM Feb 14, 2024 IST | Vipul Pandya
tarabh balinath mahadev

Tarabh : તરભ (Tarabh) વાળીનાથ મહાદેવ આ પાવનકારી સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે. ભારતમાં આ એક માત્ર એવું મંદિર છે કે જ્યાં દેવધી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. અને આ મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની માન્યતા રહેલી છે. આ સ્થાનક ને રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક સાથે તમામ વર્ગ અને સમાજના લોકો નું અસ્થાનું કેન્દ્ર રહેલું છે. આ પવિત્ર સ્થાનકના 13 માં મહંત બળદેવગીરી બાપુને રબારી સમાજે " ભા ' નું ઉપનામ આપ્યું હતું અને એક સૂત્ર પણ હતું કે " ભા એજ ભગવાન"

પૂજ્ય બળદેવ ગિરી બાપુ એ સમાજ ઉત્થાન માટે ખૂબ કાર્યો કર્યા હતા

રબારી સમાજ માં " ભા " નું બિરુદ નું ખૂબ મોટું મહત્વ રહેલું છે. પૂજ્ય બળદેવ ગિરી બાપુ એ સમાજ ઉત્થાન માટે ખૂબ કાર્યો કર્યા હતા. જેમાં શિક્ષણ, સમાજમાં રહેલ કુરિવાજ અને કન્યા કેળવણી પર વિશેસ ભાર મૂકી રબારી સમાજને પ્રગતિ ના સોપાન શિર કરવા ભગીરથ સેવા અર્પણ કરી હતી. રબારી સમાજ પૂજ્ય બળદેવગીરી બાપુ ને ભગવાન માનતા હતા એટલે જ તેમને "ભા એજ ભગવાન નું બિરુદ આપ્યું હતું".

900 વર્ષ પૂર્વે શ્રી વાળીનાથજીની હાલની જગ્યા વાળી તપોભૂમિ પર પૂજ્ય વિરમગિરી બાપુનું આગમન

શીવધામ તીર્થ ભૂમિ શ્રી વાળીનાથ અખાડા , તરભ ખાતે આજથી લગભગ 900 વર્ષ પૂર્વે શ્રી વાળીનાથજીની હાલની જગ્યા વાળી તપોભૂમિ પર પૂજ્ય વિરમગિરી બાપુનું આગમન થયેલું. વિરિયામગીરી બાપુએ પહેલા થોડોક સમય કંથારિયા ગામે રોકાણ કરેલું. જ્યાંથી ફરતા ફરતા ઉંઝા આવેલા. ઉંઝામાં કડવા પાટીદારોને પણ ધર્મ જાગૃતિ સાથે જ્ઞાન અને ભક્તિ તરફ વાળ્યા. ઉંઝાના પાટીદારો અને રબારીઓ તે સમયે પૂજ્ય વીરમગીરી બાપુને ગુરુદેવ તરીકે માનતા અને પૂજન કરતા. ઉંઝા થી વિરામગીરી બાપુ એ ભક્તરાજ તરભોવનભાઈ ના આગ્રહથી વાળીનાથ ની પવિત્ર ધરતી પર પધરામણી કરી.

રાયણનું 900 વર્ષ જૂનું વૃક્ષ અને ધૂણી આજે પણ હયાત

તરભની ધરતી પર વિરમગિરિ બાપુને તે સમયે સ્વપ્નમાં શ્રી વાળીનાથ ભગવાનની મૂર્તિનાં અને ધૂણીના દર્શન થયેલા. બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાં દટાયેલી ભગવાન વાળીનાથની મૂર્તિ બહાર કાઢી ધામધૂમ થી પ્રતિષ્ઠા કરી અને રાયણના વૃક્ષ નીચે ચીપિયા વડે ધરતી ખોદીને અખંડ અગ્નિદેવ સમી ધૂણી ના દર્શન થયા. જે રાયણનું 900 વર્ષ જૂનું વૃક્ષ અને ધૂણી આજે પણ હયાત છે. જેના દર્શનનો આજે પણ મહિમા છે.

આ પણ વાંચો-----VALINATH MAHADEV : 16થી 22 ફેબ્રુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, PM મોદી અને અમિત શાહ હાજર રહેશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GujaratGujarat FirstMehsanaPran Pratistha Mahotsavrabari samajTarabh Valinath mandirTarabh Valinath Temple
Next Article