Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: શ્રી જગન્નાથની રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ, ભગવાનના રથનું થઈ રહ્યું છે કલરકામ

Ahmedabad: અમદાવાદ ફરી એકવાર ‘જય હો જગન્નાથ‘ના નારા સાથે ગુંજી ઉઠવાનું છે. ખાસ કરીને વાત કરવામાં આવે ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રાની જગન્નાથ મંદિરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ખાસ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથનો શણગાર...
10:19 PM Jun 14, 2024 IST | VIMAL PRAJAPATI
Shree Jagannath Rath Yatra ahmedabad

Ahmedabad: અમદાવાદ ફરી એકવાર ‘જય હો જગન્નાથ‘ના નારા સાથે ગુંજી ઉઠવાનું છે. ખાસ કરીને વાત કરવામાં આવે ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રાની જગન્નાથ મંદિરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ખાસ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથનો શણગાર સજાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથના કલર કામ અને રથની ડિઝાઈનને અવનવા રંગો સાથે સજાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ તો ભગવાનના રથની કોતરણીની ડીઝાઈનમાં અદભુત કલરના કોમ્બિનેશન સાથે વિવિધ રંગો સાથે કલર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ (Ahmedabad)માં રથયાત્રાને લઈને પૂરી તૈયારીઓ ચાલી રહીં છે.

રથને નવી ડિઝાઇનમાં અવનવા રંગો સાથે કલર કરી સજાવાયા

અષાઢી બીજ રથયાત્રા ના દિવસ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથ નગરચર્યાએ નીકળશે. જેની તૈયારીઓ એક માસ પૂર્વે શરૂ કરી દેવામાં આવતી હોય છે. તેવામાં ભગવાન રથ એક વર્ષ અગાઉ જ સાગના લાકડામાંથી નવા બનાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, એ રથને નવી ડિઝાઇનમાં અવનવા રંગો સાથે કલર કરી અને સજાવવામાં આવ્યા છે. ભગવાન નગર ચર્યાએ નીકળશે ત્યારે રથ મારફતે સમગ્ર રૂટ પર ભક્તો તેમના દર્શનનો લાહવો કેવા માટે દર્શન કરવા ભગવાન ની રાહ જોવે છે.

7 જુલાઈ અષાઢી બીજે જગન્નાથ નીકળશે નગર ચર્ચાએ

ઉલ્લેખનીય છે કે, ભગવાનના રથને અદભુત શણગાર અને અવનવા રંગોથી કલર કરી અને તૈયાર કરવાંમાં આવી રહ્યા છે. સાગના લાકડામાંથી બનેલા આ રથને દેશ વર્ષે એક જ કલર કામ કરતા કારીગર દ્વારા તૈયાર કરી સરસ કલર કરી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના 15 દિવસ પહેલા સંપૂર્ણ તૈયાર કરી રાખવામાં આવે છે. 7 જુલાઈ અષાઢી બીજે રથયાત્રા છે અને આ રથયાત્રામાં જગન્નાથ મંદિર ખાતે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  નોંધનીય છે કે, પોલીસ દ્વારા પણ રથયાત્રાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે કે, શહેરમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે હાનિ ના થાય.

અહેવાલઃ સચિન કડિયા, અમદાવાદ

આ પણ વાંચો: પાંચ વર્ષમાં રૂપિયા 1,555 કરોડની છેતરપિંડી, Cyber Crime વિભાગે આપ્યાં ચોંકાવનારા આંકડા

આ પણ વાંચો: Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા

આ પણ વાંચો: Bharuch: ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ, નરેશ જાનીનો CM કરતા વધારે દબદબો?

Tags :
AhmedabadAhmedabad Latest NewsAhmedabad Local NewsAhmedabad NewsJagannath Rath YatraJagannath Rath Yatra ahmedabadRath YatraRath Yatra ahmedabadShree Jagannath Rath Yatra ahmedabadVimal Prajapati
Next Article