Panchmahal : વરિયાળીની ખેતી કરતા ખેડૂતોની કર્મની કઠિનાઈ
Panchmahal જિલ્લાના ગોધરા અને હાલોલ તાલુકાના પાવાગઢના આજુબાજુના કેટલાક ગામોના ખેડૂતો વરિયાળી ની ખેતી કરી રહ્યા છે. આ વર્ષે અહીંના ખેડૂતોએ આશરે 200 હેકટર ઉપરાંત વરિયાળીની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ પંચમહાલ જિલ્લામાં વરિયાળીનું ખરીદ કેન્દ્ર ન હોવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી આ વરિયાળી વેચવા માટે ગોધરાથી 300 કિમી દૂર આવેલ ઊંઝા ખરીદ કેન્દ્ર સુઘી લંબાવવાની ફરજ પડી રહી છે. જેમાં ખેડુતોને બે થી ત્રણ દીવસના સમયના સાથે ભાડા ખર્ચ પણ કરવો પડી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં વરિયાળી ખરીદ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા છે.
વરિયાળીની ખેતી તરફ ખેડૂતો
ભારત પ્રાચીન સમયથી મસાલાની ભૂમિ માટે જાણીતું છે. મુખ્ય બીજ મસાલા પાકોમાં જીરું, ધાણા, મેથી અને વરિયાળી વગેરે મુખ્ય છે. જેમાંથી ઓછા ખર્ચે અને ઓછા પાણીમાં આવતો વરિયાળીના ખેતી તરફ હાલ ખેડૂતો આવી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં ચાલું શિયાળા સિઝનમાં 63 હેકટરમાં વિવિધ પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવે છે. જેમાં મકાઈ, ઘઉં ચણા, શાકભાજી, ઘાસ ચારા સહિતના મુખ્ય પાક લેવામા આવે છે. આ સિવાય જિલ્લાના હાલોલ અને ગોધરા વિસ્તારના ખેડૂતોએ 200 હેકટર ઉપરાંતમાં વરિયારીનો પાક લઈ રહ્યાં છે. જોકે વરિયાળી પાકનું ઉત્પાદન કરતા ખેડૂતો જણાવી રહ્યા છે કે, તેઓ વરિયાળીની ખેતી તો કરી રહ્યા છે.
જંગલી ભૂંડનો ત્રાસ
પરંતુ વરિયાળીનું ખરીદ કેન્દ્ર પંચમહાલ જિલ્લામાં ન હોવાના કારણે ઊંઝા ખાતે લાબું થવું પડી રહ્યો છે. સાથે જ આ વરિયાળી વેચવા માટે ખેડૂતને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે અહીંના ખેડૂતોની હાલત જંગલી ભૂંડને લઈ ખૂબ જ કફોડી બની ગઈ છે. અહીં આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જંગલી ભૂંડ રાત્રી દરમિયાન ખેતરમાં ઘુસી જાય પાકને ભારે નુકસાન કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો પોતાના મહામૂલા પાકનું રક્ષણ કરવા માટે તમામ ઋતુમાં રાત્રી દરમિયાન ખેતરમાં જ ઉંચાઈ ઉપર ઝૂંપડું બનાવી સુઈ જવાની ફરજ પડી રહી છે. અને બીજી તરફ જે મહામુલા પાકનું રક્ષણ કરી પાક તૈયાર થાય છે. ત્યારે તેને વેચવા માટે દૂર સુધી લાબું થઉં પડી રહ્યો છે. પંચમહાલ સહિત આસપાસના જિલ્લામાં વરિયાળીનીના ખરીદ કેન્દ્ર ન હોવાના કારણે ખેડૂતને વરિયાળી પાક વેચવા માટે 300 કિલો મીટર દૂર ઊંઝા સુધી લંબાવવું પડે છે.
જિલ્લામાં વરિયાળી પાકનું વાવેતર વધ્યું
વરિયાળીની ખેતી કરતા ખેડૂતો જણાવી રહ્યા છે કે, વરિયાળીનો પાક લેવા માટે હેક્ટર દીઠ 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. અને ચાર મહીના સુધી વરિયાળી પાકની માવજત કરવી પડે છે. ત્યારબાદ વરિયાળીના પાક વેચવા માટે ખેડૂત ભાડાના વાહનની વ્યવસ્થા કરી ગોધરાથી 300 કિમી દૂર ઊંઝા માર્કેટ યાર્ડ પહોંચે છે. જ્યાં ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. પાક સારો થયો હોય તો ઊંઝા માર્કેટમાં 4 થી 5 હજાર રૂ. મણના ભાવ મળી રહે છે અને જો પાકની ગુણવત્તા ન હોય તો 2 થી 3 હજાર પ્રતિ મણના ભાવ મળી રહે છે. પાક વેચી પરત ફરતા સમયે રોકડ રકમનું પણ ખેડૂતોને જોખમ રહે છે. હાલ પંચમહાલ જિલ્લામાં વરિયાળી પાકનું વાવેતર દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં જ વરિયાળી ખરીદ કેન્દ્રની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી ખેડૂત માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો - Vibrant Gujarat Global Summit : આ વખતની સમિટ ઐતિહાસિક બની રહેશે, વાંચો શું કહ્યું ઉદ્યોગ મંત્રીએ
આ પણ વાંચો - Urban development-રાજ્યની ૮ નગરપાલિકાઓને એક સાથે ૨૦૮૪ કરોડ રૂપિયાના ચેક વિકાસ કામો