Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બહુચરાજીમાં યાત્રિકો માટે લાખ્ખોના ખર્ચે મુકવામાં આવેલા મિનરલ વોટર પ્લાન્ટ ધૂળ ખાઇ રહ્યા છે

મહેસાણા જિલ્લાનું અને અતિ પવિત્ર માનવામાં આવતું શક્તિપીઠ બહુચરાજી મંદિર શ્રધ્ધાળુ માટે અસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં ગુજરાત સહિત દેશ ભરમાંથી શ્રધ્ધાળુ ઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારે છે. બહુચરાજી મંદિરના પ્રાંગણમાં  પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમયાંતરે 3 મિનરલ વોટર પ્લાન્ટ યાત્રિકો મીઠું અને શુદ્ધ પાણી પી શકે તેવા ઉદેશ્ય થી મુકવામાં આવ્યા છે. પરંતુ ખાટલે મોટà«
બહુચરાજીમાં યાત્રિકો માટે લાખ્ખોના ખર્ચે મુકવામાં આવેલા મિનરલ વોટર પ્લાન્ટ ધૂળ ખાઇ રહ્યા છે
મહેસાણા જિલ્લાનું અને અતિ પવિત્ર માનવામાં આવતું શક્તિપીઠ બહુચરાજી મંદિર શ્રધ્ધાળુ માટે અસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં ગુજરાત સહિત દેશ ભરમાંથી શ્રધ્ધાળુ ઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારે છે. બહુચરાજી મંદિરના પ્રાંગણમાં  પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમયાંતરે 3 મિનરલ વોટર પ્લાન્ટ યાત્રિકો મીઠું અને શુદ્ધ પાણી પી શકે તેવા ઉદેશ્ય થી મુકવામાં આવ્યા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ ઉભી થઇ છે કે અહીં મૂકવામાં આવેલ મિનરલ વોટર પ્લાન્ટ ગણતરીના મહિનાઓ માંજ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અહીં મૂકવામાં આવેલ મિનરલ વોટર ના પ્લાન્ટ માં માત્ર 1 રૂપિયામાં 1 લીટર અને 5 રુપિયામાં 5 લીટર અને 10 રુપિયા માં 20 લીટર શુધ્ધ મિનરલ વોટરની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

* બહુચરાજી મંદિરમાં પ્રાથમિક સુવિધામાં ખાટલે મોટી ખોટ 
કરોડો રૂપિયામાં મોટા ઉપાડે 3 મિનરલ વોટર પ્લાન્ટ અને હમણાંજ નવું એમ 4 મિનરલ વોટર પ્લાન્ટ મુકવમમાં આવ્યા હતા પણ ટૂંકા ગાળામાં મેન્ટેનન્સ ના અભાવે તમામ પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યા છે. સુવિધા ઉભી કરાઈ એ ખૂબ સારી બાબત છે પરંતુ તેનો ઉપયોગ થાય તે માટે તેને ચાલુ રાખવાએ એટલુંજ અગત્યનું છે. પરંતુ તેનું મેઇન્ટેનન્સ થયું નહીં અને લોકો તેનો લાંબો સમય ઉપયોગ અને લાભ લઇ શક્યા નહીં અને હાલમાં મોંઘી પાણીની બોટલ ખરીદવા મજબૂર બન્યા છે.
* મિનરલ વોટર પ્લાન્ટ બંધ રહેતા પરબનું પાણી પીવા યાત્રિકો મજબૂર 
કરોડો રૂપિયાની ગ્રાન્ટ માંથી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિર પરિસરમાં અલગ અલગ લોકેશનમાં મુકવામાં આવેલ 4 મિનરલ વોટર પ્લાન્ટ બંધ રહેતા હાલમાં ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે. દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ હાલમાં પરબના નળ નું પાણી પીવા મજબૂર બન્યા છે એટલે એક વાત ચોક્કસથી પુરવાર થઇ રહી છે કે શ્રધ્ધાળુઓ પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે.શ્રધ્ધાળુ ઓ ની એવી માંગ ઉઠી છે કે સત્વરે આ તમામ મિનરલ વોટર પ્લાન્ટ ફરીથી ચાલુ કરવામાં આવે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.