MANSUKH MANDAVIYA એ પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસે યોજાયેલી સાયકલ રેલીમાં ભાગ લીધો
MANSUKH MANDAVIYA : પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ( MANSUKH MANDAVIYA ) લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ તેમણે પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી હતી. મનસુખ માંડવિયા ( MANSUKH MANDAVIYA ) જ્યારે સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા, ત્યારે તેમણે ક્લાઈમેટ ક્લબની પણ શરૂઆત કરી હતી અને તેમાં પણ શરત એવી હતી કે જે કોઈ સાંસદ આ ક્લબના સભ્ય બનશે તે સાઈકલ પર સંસદ ભવનમાં આવતા-જતા રહેશે, માંડવિયા પહેલેથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે.
પોરબંદરમાં આયોજિત સાયકલ રેલીમાં મનસુખ માંડવિયાએ ( MANSUKH MANDAVIYA ) જણાવ્યું કે, ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે, તેથી જ આજે હું આ સાયકલ રેલીમાં જોડાયો છું.તે ઉપરાંત તેમણે કહ્યું કે, જો આપણે પૃથ્વીને બચાવવી હોય, આવનારી પેઢીઓ માટે પૃથ્વીને સુરક્ષિત રાખવી હોય, તો આપણે આજે જ પગલાં ભરવા પડશે, અને અત્યારે સમય આપણા હાથમાં નથી, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મિશન લાઇફ શરૂ કર્યું છે, આપણે સૌએ મિશન લાઇફમાં જોડાઈ પૃથ્વીને બચાવવામાં યોગદાન આપવું જોઈએ.
आज #WorldEarthDay पर चुनावी व्यस्तता के बीच पोरबंदर साइकिलिंग क्लब के साथ पर्यावरण संरक्षण के प्रति जागरूकता हेतु साइकिल रैली की।
हम सभी का दायित्व है कि हम आने वाली पीढ़ी के लिए पृथ्वी को बचायें, इसे स्वच्छ और सुरक्षित रखे। pic.twitter.com/nF7YW3TQC6
— Dr Mansukh Mandaviya (मोदी का परिवार) (@mansukhmandviya) April 22, 2024
આ સમય દરમિયાન મનસુખ માંડવિયાએ બાળકો સાથે ફોટા ક્લિક કર્યાં અને તે ફોટોઝ પર સોશિયલ મીડિયામાં લખ્યું કે, "My little army in action to save the planet"
આ પણ વાંચો : ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણીનો ફોન સતત બંધ આવતા અનેક તર્કવિતર્ક
આ પણ વાંચો : ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણીનો ફોન સતત બંધ આવતા અનેક તર્કવિતર્ક