ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Navsari: લવ જેહાદ પ્રકરણમાં વિધર્મી યુવાનનું પોલીસે કાઢ્યું સરઘસ, ધમકી આપીને આચર્યું હતું દુષ્કર્મ

લવ જેહાદ પ્રકરણમાં વિધર્મી યુવાનનું પોલીસે કાઢ્યું સરઘસ આરોપી યુવાને હિન્દુ યુવતીને નામ બદલી ફસાવી હતી પ્રેમજાળમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી ને નામ બદલી ફસાવી હતી Navsari: નવસારીમાં એક લવ જેહાદની ઘટના બની હતી. જેમાં મામલે નવસારી પોલીસ...
08:45 PM Oct 07, 2024 IST | VIMAL PRAJAPATI
Navsari Police
  1. લવ જેહાદ પ્રકરણમાં વિધર્મી યુવાનનું પોલીસે કાઢ્યું સરઘસ
  2. આરોપી યુવાને હિન્દુ યુવતીને નામ બદલી ફસાવી હતી પ્રેમજાળમાં
  3. ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી ને નામ બદલી ફસાવી હતી

Navsari: નવસારીમાં એક લવ જેહાદની ઘટના બની હતી. જેમાં મામલે નવસારી પોલીસ (Navsari Police)માં ફરિયાદ નોંધાઈ હતી. મળતી વિગતો પ્રમાણે નવસારી પોલીસે લવ જેહાદ પ્રકરણમાં આરોપીનું સરઘસ કાઢ્યું છે. નવસારી શહેરના એરૂ રોડ વિસ્તારમાંથી પોલીસે સરઘસ કાઢ્યું હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, લવ જેહાદ પ્રકરણમાં વિધર્મી યુવાનનું પોલીસે સરઘસ કાઢ્યું હતું.

આ પણ વાંચો: Vadodara: લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં ખેલૈયાઓ વચ્ચે મારામારી

વિધર્મી યુવકે નામ બદલીને હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી

ઘટનાની વિગતો અંગે વાત કરવામાં આવે તો, આરોપી યુવાને પોતાનું નામ બદલીને હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. શહેરની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીને નામ બદલીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહીં પરંતુ પીડિતા યુવતી હકીકત જાણી ગયા બાદ વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હતું. જેથી આ લવ જેહાદ મામલે પોલીસ (Navsari Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો: Jamnagar ના Kadiyawad વિસ્તારમાં સુવિખ્યાત સળગતી ઈંઢોણી રાસ, જુઓ આ Video

પોલીસે આરોપીને ઝડપી પાડી ઘટનાનું રી કંસ્ટ્રક્સન કર્યું

નોંધનીય છે કે, વિધર્મી યુવકે પીડિતાને આત્મહત્યા કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોલીસે આરોપીને ઝડપી પાડી ઘટનાનું રી કંસ્ટ્રક્સન કર્યું હતું. નવસારી (Navsari) શહેરના એરૂ રોડ વિસ્તારમાંથી પોલીસે સરઘસ કાઢ્યું છે. જેથી આવી રીતે દુષ્કર્મ આચરતા આરોપીઓ પહેલાથી જ ચેતી જાય. કારણે કે, પોલીસ દ્વારા અત્યારે જે રીતે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેથી આવા ક્રાઈમની ઘટનામાં ઘટાડો થાય તેવી આશા છે.

આ પણ વાંચો: Surat: આયોજકો અને કલાકારો વચ્ચે થઈ માથાકૂટ, ઝણકાર ગરબા બંધ થતા ખેલૈયાઓ નિરાશ

Tags :
Gujarati NewsLatest Gujarati NewsLove jihad caselove jihad case NewsNavsariNavsari love jihad caseNavsari NewsNavsari PoliceNavsari police NewsVimal Prajapati
Next Article