તહેવારોમાં વતન જતાં મુસાફરોને મંત્રીનો અનુરોધ, હર્ષ સંઘવીએ શેર કર્યો વીડિયો
દિવાળીનો તહેવાર આવે એટલે લોકોને પોતાનું વતન યાદ આવતું હોય છે.દિવાળી ખુશીઓનો તહેવાર માનવામાં આવે છે.જેથી આ તહેવાર સૌ કોઈ પોતાના પરિવાર સાથે રહીને ખુશીથી મનાવતા હોય છે.જેથી મોટાભાગના લોકો દિવાળીમાં પોતાના વતન જવા માટે પ્રયાણ કરતાં હોય છે.
દિવાળીમાં જ્યારે લોકો પોતાના વતન જતાં હોય છે ત્યારે તેઓ એસ.ટી બસોમાં મુસાફરી કરીને જતાં હોય છે.એસ.ટી.વિભાગ બધા જ તહેવારોમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે અને હજારો લોકોને પોતાના વતન લઈ જઈને તેમને ખુશીઓ આપતા હોય છે.એસ.ટી.વિભાગ પોતાની ફરજ બજાવીને લોકોની ખુશીઓમાં સહયોગી બને છે.અને પરિવારની ભૂમિકા ભજવે છે.
ત્યારે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને એસ.ટી.વિભાગના કર્મચારીઓને શુભેચ્છા પાઠવવાના અનુરોધ સાથે કર્મચારીઓને સમર્પિત કરતો એક વિડીયો શેર કર્યો છે.
આ પણ વાંચો - 1 હજાર વિધા જમીનમાં સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું આયોજન,CM ભૂપેન્દ્રભાઈ પટેલને અપાયું આમંત્રણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે