Porbandar : પ્રેમ સંબંધમાં પત્નીએ જ પ્રેમી સાથે મળી કરી હતી યુવકની હત્યા
અહેવાલ--કિશન ચૌહાણ, પોરબંદર
પોરબંદર શહેરના છાંયા દેવજીચોકના રહેણાંક મકાનમાં રાજુ ઓડેદરા નામના યુવાનની હત્યાનો ભેદ કમલાબાગ પોલીસે ગણતરી કલાકોમાં ઉકેલી આરોપીઓની ધરપકડ કરી છે. પ્રેમ સબંધમાં પતિનો કાંટો કાઢવા હત્યા કરવામાં આવી હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે.
શું હતો સમગ્ર બનાવ
પોરબંદર જિલ્લામાં તહેવાર ટાણે જ વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. જો કે આ હત્યાનો બનાવ ફેમીલી ક્રાઈમમાં ગણાય, પરંતુ આ બનાવમાં અઠવાડિયા પહેલા મળેલી ધમકી અંગે પોરબંદર પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કર્યાના આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા. છાંયા દેવજી ચોકમાં રહેતા મરણ જનાર રાજુ ઓડેદરાના લગ્ન આઠેક વર્ષ પહેલા રઘુવંશી સોસાયટીમાં રહેતી કૃપાલીબેન ઉફે કપુ સાથે પ્રેમ લગ્ન કરેલ હતા તેને સંતાનમાં એક સાત વર્ષની દિકરી કિંજલ છે. કૃપાલીબેન ઉર્ફે કપુ છેલ્લા સાત-આઠેક મહિનાથી પતિ રાજુથી અલગ થઈ તેની દીકરી કીંજલ સાથે રાજકોટ ખાતે કોઈ નિતેષ નામના માણસ સાથે રહેવા જતી રહેલ હતી. તારીખ ૦૮-૧૧-ર૦ર૩ સવારના સમયે અમુલ દુધની ગાડી વાળા વનરાજભાઈ પરમાર આવેલ કહેલ કે રાજુ અંદર છે દરવાજો ખખડાવતાં રાજુ ઉઠતો નથી. ત્યારબાદ પિતા જેસાભાઈએ રાજુના ઘરનો દરવાનો ખખડાવ્યો હતો.પરંતુ રાજુએ દરવાજો ના ખોલતા પિતા જેસા ભાઈએ લોખંડની સીડી વડે રાજુના ઘરમાં પ્રવેશ કર્યો હતો. રૂમની લાઈટ ચાલુ કરી જોતા પલંગ પર લોહી લુહાણ હાલતમાં રાજુ પડેલો હતો. તેના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી .ત્યાર બાદ પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. રાજુ જેસાભાઈ ઓડેદરા નામના ૩પ વર્ષના યુવાનની ગત મોડી રાત્રે તેના ઘરે જ માં હત્યા થઈ હતી જે મામલે કમલાબાગ પોલીસે મૃતક રાજુ ઓડેદરાના પિતા જેસાભાઈની ફરિયાદ લઈ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પરિવારજનોએ મૃતક રાજુ ઓડેદરાની પત્ની કૃપાલી ઉર્ફે કપુ અને તેના પ્રેમી તથા તેના ભાઈ પર આરોપ લગાવ્યો હતો. અને ખરા અર્થમાં એજ બહાર આવ્યું છે.પ્રેમ સબંધમાં પત્નિ કૃપાલી ઉર્ફે કપુએજ પતિ રાજુ ઓડદેરાની હત્યાનું કાવતરૂ પ્રેમી નિતેષ વેકરીયા અને ભાઈ વિશાલ સામાણી સાથે ધડયું હતું પોલીસે આરોપી પ્રેમી એવા નિતેષ અને તેનો ભાઈ વિશાલ સામાણી ધરપકડ કરતા સમગ્ર બનાવ હકીકતો બહાર આવી છે.
પ્રેમ સબંધમાં પતિની હત્યા કરવાનું કાવતરૂ ઘડયું
છાંયાના રાજુ ઓડેદરાની હત્યામાં મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પોરબંદર શહેરના ડીવાયએસપી ઋતુ રાબાએ પત્રકારનો બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, કમલાબાગ પોલીસ સ્ટેશનના છાંયા દેવજીચોક વિસ્તારમાં રાજુભાઈ ઓડેદરાની હત્યા થઈ હતી.આ બાબતે તપાસ કરતા પોલીસને જાણવા મળેલ કે,રાજુભાઈ ઓડેદરાની પત્ની કૃપા ઉર્ફે કપુનો પ્રેમ સબંધ રાજકોટના નિતેષ વેકરીયા જોડે ચાલી રહ્યું હતું. નિતેષ વેકરીયા,કૃપા અને કૃપાનો ભાઈ વિશાલ સામાણીએ રાજુ ઓડેદરાની હત્યાનું કાવતરૂ બનાવ્યું હતું.અને રાજુ ઓડેદરાની હત્યાને અંજામ આપ્યો છે.આ બાબતે કમલાબાગ સ્ટેશનમાં કલમ ૩૦ર હેઠળ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવવામાં આવ્યો છે. અને આરોપીઓની અટક કરવામાં આવી છે.
આ ઘટના બનાવવાનું કારણ રાજુ ઓડેદરાની પત્ની કૃપા ઉર્ફે કપુનું પ્રેમ સબંધ હતો. પોતાના જ પતિ રાજુ ઓડદેરાની હત્યાનું કાવતરૂ ધડવામાં પત્ની કપુનો જ મુખ્ય રોલ હતો. પોલીસે ટેકનીકલ અને યુમનસોસ આધારે આરોપી પકડયા છે. આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર વી. પી. પરમાર તથા એલ.સી.બી. ઇ/ચા પો.ઇન્સ આર.કે.કાંબરીયા, પો.સબ.ઇન્સ.એમ.એલ.આહીર, કે એ સાવલીયા, આર.વી.મોરી સહિતના સ્ટાફે કામગિરી કરી હતી.
આ પણ વાંચો----ખાનવેલમાં પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં સ્નેહમિલનનું આયોજન