Valsad : રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે
Valsad : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) આજે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે, આજે દક્ષિણ ગુજરાતના વલસાડ (Valsad )જિલ્લામાં દ્રૌપદી મુર્મૂ મુલાકાત આવી રહ્યાં છે. અહીં ધરમપુર ખાતેના રાજચંદ્ર આશ્રમના એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે, આ દરમિયાન રાજ સભાગૃહનું ઉદ્ઘાટન કરશે.
દ્રૌપદી મુર્મૂ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે, આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા રાજચંદ્ર આશ્રમની મુલાકાત કરશે . અહીં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઉદ્ઘાટન થશે. રાજચંદ્ર મિશન આશ્રમના ગુરુજી રાકેશજી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
રાજ્યના 8 જિલ્લાના આદીમ જૂથના લાભાર્થીઓ સાથે રાષ્ટ્રપતિ સંવાદ પણ કરશે. ખાસ વાત છે કે, આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ શ્રીમદ્ રાજચંદ્રની 34 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન કરશે, અને સાથે સાથે જિન મંદિરમાં પણ જશે. હાલના દિવસોમાં રાજચંદ્ર આશ્રમમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
આ પણ વાંચો - Ahmedabad : નિકોલમાં લગ્ન પ્રસંગે 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ