Unjha : ઉમિયા માતાજીના ભક્તો માટે આનંદના સમાચાર, 'ઉમિયા માતાજી મંદિર'નો તીર્થસ્થાન કક્ષા 'બ'માંથી 'અ' માં સમાવેશ
ઉમિયા માતાજીના ભક્તો માટે આનંદના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા 'ઉમિયા માતાજી મંદિર'ના (Umia Mataji Mandir) તીર્થસ્થાન કક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 'ઉમિયા માતાજી મંદિર'નો (Unjha) તીર્થસ્થાન કક્ષા 'બ'માંથી 'અ' માં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને ઉમિયા માતાજી મંદિર હોદ્દેદારોએ આવકાર્યો છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો (CM Bhupendra Patel) આભાર માન્યો છે.
રાજ્ય સરકાર દ્વારા 'ઉમિયા માતાજી મંદિર'ના (Umia Mataji Mandir) તીર્થસ્થાન કક્ષામાં ફેરફાર કરી 'બ'માંથી 'અ' કક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉમિયા માતાજીના ભક્તોમાં ખુશીનો માહોલ છે. ત્યારે, ઉમિયા માતાજી મંદિરના (Unjha) હોદ્દેદારોએ રાજ્ય સરકારના નિર્ણયને બિરદાવ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે. જણાવી દઈએ કે, ઊંઝામાં (Unjha) ઉમિયા માતાજીનું મંદિર 1868 વર્ષ પૂર્વેનું છે. માહિતી અનુસાર, દર વર્ષે અંદાજે 75 લાખ જેટલા ભક્તો ઉમિયા માતાજીના મંદિરની મુલાકાત લેતા હોય છે. ત્યારે મંદિર સંસ્થા દ્વારા પણ સતત સામાજિક કર્યો કરવામાં આવે છે.
આ પણ વાંચો - Double Decker Bus : અમદાવાદીઓ આનંદો, આજથી આ રૂટ પર દોડશે પહેલી આધુનિક ડબલ ડેકર બસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ