Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : સનાતન ધર્મનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે સંતો-મહંતોનું મહાસંમેલન

રાજકોટના (Rajkot) ત્રંબામાં સનાતન ધર્મનું આવતીકાલે મોટુ મહાસંમેલન યોજાશે. સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો, મહામંડલેશ્વરો અને કથાકારો હાજર રહેશે. આ મહાસંમેલનમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ અધ્યક્ષસ્થાન...
02:25 PM Jun 10, 2024 IST | Vipul Sen

રાજકોટના (Rajkot) ત્રંબામાં સનાતન ધર્મનું આવતીકાલે મોટુ મહાસંમેલન યોજાશે. સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો, મહામંડલેશ્વરો અને કથાકારો હાજર રહેશે. આ મહાસંમેલનમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ અધ્યક્ષસ્થાન રહેશે. આ સંમેલનમાં હિન્દુ દેવી-દેવતાઓ અને સનાતન ધર્મને (Sanatan Dharma) લઈ અપમાનજનક ટિપ્પણી સહિતના મુદ્દે કાયદાકીય પગલાં લેવા સહિત ચર્ચા કરી નિર્ણય લેવાશે.

સનાતન ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારાઓ સામે પગલાં લેવા ચર્ચા

હિન્દુ દેવી-દેવતાઓ અને સનાતન ધર્મ (Sanatan Dharma), સનાતની સાધુ-મહાપુરુષો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારા અને કેટલાક સંપ્રદાયના પુસ્તકોમાં હિન્દુ દેવ-દેવીઓને નીચા ચિતરતા હોય એવી સંસ્થા અને લોકો વિરુદ્ધ પગલાં લેવા સંબંધિત નિર્ણય કરવા ચર્ચા કરવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ (Rajkot) નજીક આવેલા ત્રંબાની ભરાડ સ્કૂલમાં આવતીકાલે સનાતન ધર્મનું મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો, મહામંડલેશ્વરો અને કથાકારો હાજર રહેશે.

દરેક રાજ્યમાં સંગઠનની રચના થશે

માહિતી મુજબ, આ સંમેલનના અધ્યક્ષસ્થાને જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ રહેશે. જ્યારે જાણીતા કથાકાર મોરારીબાપુ (Moraribapu) અને રમેશભાઈ ઓઝા ભાઈશ્રી (Rameshbhai Ojha Bhaishree) પણ આ સંમેલનમાં ખાસ ઉપસ્થિતિ રહેશે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. ગુજરાતથી 'સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ' સંગઠનની રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યોમાં આ સંગઠનની રચના કરવામાં આવશે.

 

આ પણ વાંચો - VADODARA : “ગૌરવ યાત્રા” શહેરભરમાં ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે

આ પણ વાંચો - VADODARA : સ્વામીનારાયણ મંદિરના લંપટ સ્વામી સામે તપાસ તેજ

આ પણ વાંચો - Gondal: પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહજીની આશરે 11 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

Tags :
Gujarat FirstGujarati NewsJagadguru Shankaracharya Swami Sadanand Saraswatiji MaharajMahamandaleshwarasMoraribapuRAJKOTRameshbhai Ojha BhaishreeSaints-MahantsSANATAN DHARMASnatan Dharma SammelanTrambani Bharad School
Next Article