Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jain Samaj : ગાંધીનગરમાં મિટિંગ નિષ્ફળ નીવડી! સુરતમાં આંદોલન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

પાવાગઢમાં (Pavagadh) જૈન તીર્થકરોની (Jain Tirthankar) પૌરાણિક મૂર્તિઓ ખંડિત થવાં મામલે સુરતમાં (Surat) જૈન સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે. સુરતમાં જૈન સમાજનાં (Jain Samaj) લોકો મોટી સંખ્યામાં આંદોલન અર્થે પહોંચ્યા છે. ફરી એકવાર જૈન સમાજનાં અગ્રણીઓ અને સ્વામીજીઓ આંદોલન...
jain samaj   ગાંધીનગરમાં મિટિંગ નિષ્ફળ નીવડી  સુરતમાં આંદોલન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા
Advertisement

પાવાગઢમાં (Pavagadh) જૈન તીર્થકરોની (Jain Tirthankar) પૌરાણિક મૂર્તિઓ ખંડિત થવાં મામલે સુરતમાં (Surat) જૈન સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે. સુરતમાં જૈન સમાજનાં (Jain Samaj) લોકો મોટી સંખ્યામાં આંદોલન અર્થે પહોંચ્યા છે. ફરી એકવાર જૈન સમાજનાં અગ્રણીઓ અને સ્વામીજીઓ આંદોલન પર બેઠાં છે. સૂત્રો મુજબ, જ્યાં સુધી સુખદ નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે એમ સમાજનાં લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

સુખદ નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : જૈન સમાજ

યાત્રાધામ પાવાગઢ (Pavagadh) ખાતે જૈન તીર્થંકરની પૌરાણિક પ્રતિમાઓ હટાવવા અને ખંડિત થવાની ઘટના બાદ જૈન સમાજનાં (Jain Samaj) લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આ મામલે જૈન સમાજનાં લોકો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જો કે, તંત્ર દ્વારા મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી છે. પરંતુ, જૈન સમાજનો રોષ હાલ પણ યથાવત છે. દરમિયાન, સુરત (Surat) ખાતે મોટી સંખ્યામાં જૈન સમાજના મહારાજ સાહેબ, અગ્રણીઓ અને લોકો આંદોલન અર્થે પહોંચ્યા છે. સૂત્રો મુજબ, જ્યાં સુધી સુખદ નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ સમાજના લોકોએ જણાવ્યું છે.

Advertisement

સુરતમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો એકત્ર થયા.

Advertisement

ગાંધીનગરમાં યોજાયેલી બેઠક નિષ્ફળ નીવડી : સૂત્ર

જણાવી દઈએ કે, આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે જૈન સમાજની મીટિંગ પણ યોજાઈ હતી. જો કે, આ બેઠક નિષ્ફળ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગાંધીનગરની મિટિંગ બાદ સુરતમાં આંદોલન યથાવત રાખવું કે પૂર્ણ કરવું તે બાબતે નિર્ણય લેવાશે. માહિતી મુજબ, સુરતમાં ઉમરા જૈન સંઘ ખાતે જૈન મુનિ મહારાજ સાથે મોટી સંખ્યામાં સમાજનાં આગેવાનો અને અનુયાયીઓ એકત્ર થયા છે. સૂત્રો મુજબ, જૈન ભગવાનની મૂર્તિને પુનઃસ્થાપિત કરવાની સાથે જગ્યાનો કબજો સમાજને સોંપવાની માંગ સાથે ગાંધીનગરમાં મિટિંગ યોજાઈ હતી.

આ પણ વાંચો - VADODARA : પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા આક્રોશ, ત્રણ દિવસનું અલ્ટીમેટમ

આ પણ વાંચો - Surat : ખંડિત પ્રતિમાઓની પુનઃસ્થાપનાની વાત કોઈ કાળે સ્વીકાર્ય નથી : જૈનાચાર્ય

આ પણ વાંચો - Rajkot TRP Gamezone : RMC માં એક સાથે 35 કર્મચારીઓની બદલી, આરોપી TPO સાગઠિયાનાં રિમાન્ડ મંજૂર

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

×

Live Tv

Trending News

.

×