Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હઝરાત, હઝરાત... ના અવાજથી 12 વર્ષ બાદ ફરી સિનેમાઘર ગુંજી ઉઠશે

30 ઓગસ્ટના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થશે અનુરાગ કશ્યપે 1 વર્ષમાં બે ફિલ્મો આપી સૌને ચોંકાવી દીધા આ ફિલ્મ 2012 માં કાન્સમાં પણ પ્રદર્શિત કરવામાં આવી Gangs of Wasseypur re-release : હાલ,ભારતીય સિનેમાઘરોમાં લોકો ભૂતીયા સ્ત્રીના વશીકરણમાં આવી રહ્યા...
હઝરાત  હઝરાત    ના અવાજથી 12 વર્ષ બાદ ફરી સિનેમાઘર ગુંજી ઉઠશે
  • 30 ઓગસ્ટના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થશે

  • અનુરાગ કશ્યપે 1 વર્ષમાં બે ફિલ્મો આપી સૌને ચોંકાવી દીધા

  • આ ફિલ્મ 2012 માં કાન્સમાં પણ પ્રદર્શિત કરવામાં આવી

Gangs of Wasseypur re-release : હાલ,ભારતીય સિનેમાઘરોમાં લોકો ભૂતીયા સ્ત્રીના વશીકરણમાં આવી રહ્યા છે. એટલે કે, દરેક લોકો હોરર કોમેડી ફિલ્મ Stree 2 ને જોવા માટે ઉમટી રહ્યા છે. જોકે આ ફિલ્મ સ્વતંત્રતા દિવસ પર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. તો શરૂઆતના દિવસથી Stree 2 સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. જોકે Stree 2 સાથે અન્ય બે ફિલ્મ પણ રિલીઝ થઈ હતી. પરંતુ આ બંને ફિલ્મ સિનેમાઘરોમાં કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી.

Advertisement

30 ઓગસ્ટના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થશે

તો સિનેમનામાં દીવનાઓ માટે વધુ એક ફિલ્મ સિનેમાઘરોમાં આવી રહી છે. જોકે આ ફિલ્મને સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 12 વર્ષ બાદ ફરી એકવાર સિનેમાઘરના માધ્યમથી લોકોના દિલ-દિમાગ હચમચાવી નાખવા આવી રહી છે. તો આ ફિલ્મનું નામ Gangs Of Wasseypur છે. ત્યારે ભારતીય સિનેમા જગતના દિગ્ગજ નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ Gangs Of Wasseypur એ એક કલ્ટ-ક્લાસિક ફિલ્મ છે. 30 ઓગસ્ટના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થશે. નિર્દેશક અનુરાગ કશ્યપે ખુદ આ વાતની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: જ્યારે અજય દેવગણને તેના પુત્ર યુગે લાફો ઝીંકી દીધો, આ અભિનેત્રીના કારણે બની ઘટના

Advertisement

અનુરાગ કશ્યપે 1 વર્ષમાં બે ફિલ્મો આપી સૌને ચોંકાવી દીધા

વર્ષ 2012 માં એક વર્ષની અંદર Gangs Of Wasseypur ને બે ભાગમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ Gangs Of Wasseypur માં મુખ્ય કિરદાર તરીકે મનોજ બાજપેયી અને નવાઝુદ્દીન સિદ્દીકી હતાં. તે ઉપરાંત Gangs Of Wasseypur માં ઋચા ચડ્ઠા, હુમા કુરેશી, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી અને જયદીપ અહલાવત જેવા મુખ્ય કિરદાર હતાં. તો Gangs Of Wasseypur જ્યારે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી, ત્યારે આ ફિલ્મને ખુબ જ પ્રશંસા મળી હતી. તે ઉપરાંત Gangs Of Wasseypur ને ભારતીન સૌથી સર્વશ્રેષ્ઠ ફિલ્મનોની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.

Advertisement

આ ફિલ્મ 2012 માં કાન્સમાં પણ પ્રદર્શિત કરવામાં આવી

Gangs Of Wasseypur ની વાર્તા ઝારખંડના ધનબાદ પાસેના એક નાના શહેરની આસપાસ ફરે છે. ફિલ્મ Gangs Of Wasseypur કોલસા માફિયા પરિવારની ત્રણ પેઢીઓની વાર્તા કહે છે જેઓ ગુના, ખંડણી અને હત્યામાં ફસાયેલા છે. નિર્દેશક અનુરાગ કશ્યપ અને ઝીશાન કાદરી દ્વારા લખાયેલ Gangs Of Wasseypur નો પહેલો ભાગ 22 જૂન 2012 ના રોજ સંભળાયો હતો અને બીજો ભાગ 8 ઓગસ્ટ 2012 ના રોજ સ્ક્રીન પર આવ્યો હતો. આ ફિલ્મ 2012 માં કાન્સમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સિદ્ધિ હાંસલ કરનારી તે એકમાત્ર હિન્દી ભાષાની ફિલ્મોમાંની એક બની છે અને વિશ્વભરની વિવિધ ફિલ્મોમાં તેને પ્રશંસા મળી છે.

આ પણ વાંચો: Urfi Javed-વિવાદોનું વાવાઝોડું

Tags :
Advertisement

.