SBI ગ્રાહકો ચેતી જજો! મંડરાઈ રહ્યો છે સાયબર ફ્રોડનો ખતરો!
- SBIગ્રાહકો આપ્યા ચિંતાજનક સમાચાર
- SBI પોતાના ગ્રાહકોને સાયબર અટેકની ચેતવણી
- ટેક્સ્ટ મેસેજ દ્વારા ગ્રાહકોને એલર્ટ કર્યા
SBI cyber fraud warning: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ પોતાના ગ્રાહકોને સાયબર છેતરપિંડીથી સાવધાન રહેવા માટે તાકીદ કરી છે. બેંકે તાજેતરમાં એક ટેક્સ્ટ મેસેજ દ્વારા ગ્રાહકોને એલર્ટ કર્યા છે અને ગુનેગારો દ્વારા અપનાવવામાં આવી રહેલી નવી યુક્તિઓ વિશે માહિતી આપી છે.
SBI ગ્રાહકોને આપી ચેતવણી
SBI દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવેલા સંદેશમાં જણાવ્યા અનુસાર, સાયબર અપરાધીઓ SBI ગ્રાહકોને રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવાની લાલચ આપીને છેતરપિંડી આચરી રહ્યા છે. આ ગુનેગારો ગ્રાહકોને SMS મોકલી રહ્યા છે, જેમાં એક લિંક પર ક્લિક કરવાનું અથવા કોઈ ચોક્કસ નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે. આ લિંક અથવા નંબર દ્વારા તેઓ ગ્રાહકોની બેંકિંગ માહિતી ચોરી શકે છે અને તેમને નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચો -Stock Market : ભારતીય શેરબજારમાં વધુ એક બ્લેક ફ્રાઈડે
SBI રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે SMS મોકલે
એક SBI ગ્રાહકે જણાવ્યું કે તેમને શુક્રવારે બપોરે 12:00 વાગ્યે બેંક તરફથી આ ચેતવણી સંદેશ મળ્યો હતો. સંદેશમાં સ્પષ્ટ લખ્યું હતું કે, "પ્રિય SBI ગ્રાહક, સાયબર છેતરપિંડી કરનારાઓ તમને છેતરવા માટે નવી તરકીબ વાપરી રહ્યા છે. તેઓ તમને મોબાઈલ ફોન પર એક લિંક મોકલીને અથવા અમુક નંબર પર કોલ કરવાનું કહીને SBI રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે SMS મોકલે છે. મહેરબાની કરીને આવા કોઈપણ SMSનો પ્રતિસાદ આપશો નહીં. આ એક કૌભાંડ છે.
આ પણ વાંચો -Stock Market Crash: શેરબજાર ધડામ, સેન્સેક્સ 1420 અંક તૂટ્યો
દેશમાં સાયબર ફ્રોડના કેસોમાં ચિંતા વધારી
દેશમાં સાયબર ફ્રોડના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુનેગારો સતત નવી પદ્ધતિઓ શોધી રહ્યા છે જેથી નિર્દોષ લોકોને ફસાવી શકાય. હાલમાં, SBI રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવાના નામે છેતરપિંડીનું પ્રમાણ વધ્યું છે. જો કોઈ તમને SBI રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે ફોન કે મેસેજ દ્વારા સંપર્ક કરે તો તુરંત સાવધાન થઈ જાવ.
સ્તરે સતર્કતા અને જાગૃતિ રહેવા સલાહ આપી
સરકાર અને વિવિધ સંસ્થાઓ સાયબર ફ્રોડને રોકવા માટે પ્રયત્નશીલ છે, પરંતુ વ્યક્તિગત સ્તરે સતર્કતા અને જાગૃતિ જ આ પ્રકારના ગુનાઓથી બચવાનો સૌથી અસરકારક ઉપાય છે. SBI દ્વારા આપવામાં આવેલી આ ચેતવણી ગ્રાહકો માટે સમયસરનું પગલું છે, જે તેમને સંભવિત નાણાકીય નુકસાનથી બચાવી શકે છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવા કોઈપણ શંકાસ્પદ સંદેશાઓ અને કોલ્સથી દૂર રહે અને પોતાની બેંકિંગ માહિતી સુરક્ષિત રાખે.