Bhavnagarના ગારીયાધારમાં 6 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યાના પ્રયાસની ઘટનાથી મચી ગઈ ચકચાર
- ગારીયાધારમાં માત્ર 6 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યાના પ્રયાસથી ચકચાર મચી
- પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ઉદયની કરી ધરપકડ
- બાળકના આઈ કાર્ડની દોરીથી ગળુ દબાવીને હત્યા કરવાની કોશિશ કરાઈ
Bhavnagar: ગારીયાધારના મોરબા ગામે 6 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યાના પ્રયાસની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે ગણતરીના કલાકોમાં ઉદય નામના ઈસમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આઈ કાર્ડની દોરીથી હત્યાનો પ્રયાસ
સમગ્ર ઘટનામાં બનાવની વિગત એવી છે કે ભાવનગરના ગારીયાધારના મોરબા ગામે 6 વર્ષીય આદિત્ય નામના બાળકના અપહરણ બાદ હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાળકના અપહરણ બાદ તેના જ આઈ કાર્ડની દોરીથી તેનું ગળું દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઉદય નામના ઈસમે આ કૃત્ય કર્યુ હોવાનું સામે આવ્યું છે. ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ઉદયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Vadtal : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે આચાર્ય રાકેશપ્રસાદ રોષે ભરાયા, જાણો શું કહ્યું ?
કઈ રીતે સમગ્ર ઘટના બહાર આવી ?
આદિત્ય નામનો 6 વર્ષીય બાળક રસ્તા પર રડતો જઈ રહ્યો હતો. સ્થાનિકોએ પુછપરછ કરતા સમગ્ર બનાવની વિગતો બહાર આવી હતી. ઉદય નામના ઈસમ દ્વારા અપહરણ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના મુદ્દે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. ગારીયાધાર પોલીસ દ્વારા BNS 109.137(2) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગુનાની ગંભીરતા પારખીને સત્વરે આ ઈસમની શોધખોળ હાથ ધરી હતી. પોલીસને ઉદય નામના આરોપીની ધરપકડમાં સફળતા મળી છે. પોલીસ પુછપરછ કરીને આગળની કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચોઃ આવતીકાલથી ST બસોના ભાડામાં 10 ટકાનો વધારો થશે, ટિકિટદરમાં વધશે 1થી 4 રુપિયા