Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિચરણ કરવાથી સત્સંગ વધે, હરિભક્તો રાજી, ભગવાનની સેવા થાય : પૂ. મહંત સ્વામી મહારાજ

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય ઉજવણી માટે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં આજે પ્રમુખ સ્વામી મહારાજ નગરની સાંધ્ય સભામાં વિચરણ- સ્મૃતિ દિન પર મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં ભાવવંદના કરી પોતાના વિચારો રજુ કર્યાં હતા.પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજપ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, 'વિચરણ કરવાથી સત્સંગ વધે છે, હરિભક્તો રા
વિચરણ કરવાથી સત્સંગ વધે  હરિભક્તો રાજી  ભગવાનની સેવા થાય   પૂ  મહંત સ્વામી મહારાજ
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્ય ઉજવણી માટે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં આજે પ્રમુખ સ્વામી મહારાજ નગરની સાંધ્ય સભામાં વિચરણ- સ્મૃતિ દિન પર મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં ભાવવંદના કરી પોતાના વિચારો રજુ કર્યાં હતા.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ
પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, "વિચરણ કરવાથી સત્સંગ વધે છે, હરિભક્તો રાજી થાય અને ભગવાનની સેવા થાય. “નીર વહેતા ભલા અને સંત તો ચલતા ભલા" એ ભાવના સાથે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર જીવન જીવ્યા છે અને ભીડો વેઠીને વિચરણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે ગુરુ સામે દૃષ્ટિ રાખીને વિચરણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ "સૌમ્યમૂર્તિ" હતા અને આવા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા પધારેલા સૌ મહાનુભાવોને વંદન કરું છું અને તેમણે પ્રમુખસ્વામી મહારાજ માટે અંતરની લાગણીઓ કહી છે.
શ્રી ડૉ. આર. એસ. સોઢી, મેનેજિંગ ડિરેકટર - GCMMF
ડૉ. કુરિયન પ્રમુખસ્વામી મહારાજથી ખૂબ પ્રભાવિત હતા. 1987 માં ગુજરાતમાં દુષ્કાળ રાહતકારીમાં છાશ ને સુખડીના વિતરણની  સેવા પ્રમુખસ્વામી મહારાજે જે કરી હતી, તે સમયથી શરૂ થયેલી મિત્રતા હજી ચાલુ છે. જ્યારે જ્યારે હું એમને  મળતો ત્યારે હું તો એમની આંખોને જ જોઈ રહેતો. એમની આંખોની પવિત્રતા અદભૂત હતી. તેઓ પ્રત્યેક ધર્મ, જાતિ, વય ના લોકોને સ્પર્શી ગયા અને અશકયને શક્ય બનાવી દીધું.  કચ્છ ભૂકંપમાં તેમણે અદભૂત સેવાઓ કરી. ૫ વર્ષમાં દિલ્લી અક્ષરધામ બનાવી દીધું. તેમણે સમગ્ર વિશ્વમાં મંદિરોનું સર્જન કર્યું અને હજારોના જીવન પરિવર્તન કર્યા અને લાખોને વ્યસન્મુક્ત કર્યા.
યોગઋષિ બાબા રામદેવજી - પતંજલિ યોગપીઠના સ્થાપક
આ શતાબ્દી મહોત્સવ એ સાંસ્કૃતિક ક્રાંતિનો મહોત્સવ છે અને આ ક્ષણ એ જીવનભરની સ્મૃતિ છે. મેં  મારી આંખો થી ૩ કુંભના દર્શન કર્યા છે પરંતુ અહી અમદાવાદ માં 600 એકર માં નિર્માણ પામેલા સાંસ્કૃતિક મહાકુંભના દર્શન કરી રહ્યો છું. 1 હજારથી વધારે વિવેકી,સંતોષી અને સનાતની સંતોના દર્શન કરીને તેમનામાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થાય છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આધુનિક પ્રબંધન નહિ પરંતુ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય શક્તિ કાર્ય કરી રહી છે.
આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મને "ગુરુમુખી" સંતો અને સ્વયંસેવકોના દર્શન થઈ રહ્યા છે. આ શતાબ્દી મહોત્સવ એ સનાતન ધર્મના ગૌરવરૂપી મહોત્સવ છે. મેં  આજથી 30 વર્ષ પહેલાં પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ લીધા હતા ત્યારે મને કોઈ જાણતું નહોતું પરંતુ અત્યારે આખા વિશ્વમાં ભારતીય યોગનો પ્રચાર થઈ રહ્યો છે એવા સમર્થ ગુરુ હતા પ્રમુખસ્વામી મહારાજ.
પ્રમુખસ્વામી મહારાજ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના નહિ પરંતુ વૈદિક સનાતન સંસ્કૃતિના ગૌરવ સમાન પુરુષ છે અને તેમની ઉપસ્થિતિ માત્રથી સૌમાં ઊર્જા આવી જતી હતી. જ્યાં આવીને વાણી મૌન થઈ જાય અને નિશબ્દ થઈ જવાય એ જ પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા અને ભવ્યતા છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંતોના દર્શન કરીએ ત્યારે તેમાં પ્રમુખસ્વામી મહારાજના જ દર્શન થાય છે.
શ્રી પ્રફુલભાઈ પટેલ - પૂર્વ કેન્દ્રીય મંત્રી
પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મનું ગૌરવ વિશ્વભરમાં વધાર્યું છે.આજે અબુધાબીમાં બી.એ.પી.એસ હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે એ આપણાં સૌ માટે ગૌરવની વાત છે તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદ અને સંકલ્પ રહેલા છે.
 
શ્રી વજુભાઈ વાળા - કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ
પ્રમુખસ્વામીની ઓળખ આપવી હોય તો "પ્રમુખસ્વામી મહારાજનું નિર્દોષ હાસ્ય અને આંખોનું વાત્સલ્ય હું આજે પણ ભૂલી નથી શકતો. મેં  યોગીજી મહારાજના ધબ્બા ખાધા હતા એ મને આજે પણ યાદ છે. જેને દેશના વડાપ્રધાન પિતાતુલ્ય માને અને રાષ્ટ્રપતિ જેમને આધ્યાત્મિક ગુરુ માને તેવા પ્રમુખસ્વામી મહારાજ વિરલ સંત હતા. પ્રમુખસ્વામી મહારાજે 1 હજારથી વધુ સંતોને દીક્ષા આપીને તેમના જેવા સાધુતાયુક્ત દિપકોને પ્રજ્વલિત કર્યા છે.
 
બાલકૃષ્ણભાઈ શુક્લ - વિધાયક અને ચીફ વ્હિપ-બીજેપી
ધર્મ અને વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજે પૂરું પાડ્યું છે. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં સનાતન હિંદુ ધર્મનું ગૌરવ વધાર્યું છે.આજે 600 એકર ભૂમિમાં 80 હજાર સ્વયં સેવકો સેવા કરી રહ્યા છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તે જ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય શક્તિ છે.
શ્રી અજયભાઈ ઉમટ - વરિષ્ઠ પત્રકાર
અબ્દુલ કલામ સાહેબે  લખેલા પુસ્તક "ટ્રાન્સેન્ડન્સ" ના ગુજરાતી અનુવાદ માટે મને પ્રમુખસ્વામી મહારાજે તક આપી એ મારા જીવનની અવિસ્મરણીય ઘટના છે. પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલા પથ પર જો આપણે ચાલીશું તો ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે એવો મને દૃઢ વિશ્વાસ છે. અક્ષરધામ હુમલા વખતે આતંકવાદીઓની આત્માની શાંતિ માટે તેમણે પ્રાર્થના કરીને શાંતિ અને સહિષ્ણુતાનો સંદેશ આપ્યો હતો જે "અક્ષરધામ રિસ્પોન્સ" તરીકે પ્રખ્યાત થયો છે અને સમગ્ર ગુજરાતમાં ચિર શાંતિ સ્થાપી હતી
શ્રી નરહરિભાઈ અમીન - રાજ્યસભા સાંસદ
આપણાં સૌના પ્રેરણામૂર્તિ અને ગુરુ એવા પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી આજે વિશ્વભરના તમામ ભક્તો અહી પધાર્યા છે તે સૌને વંદન કરું છું. છેલ્લા 45 વર્ષના મારા જાહેર જીવનની દરેક પ્રવૃત્તિમાં મને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મળ્યા છે. અમેરિકા હોય કે લંડન દેશ હોય , જ્યાં જ્યાં ભારતીયો વસે છે તેમના પુત્ર પુત્રીઓને સંસ્કાર આપવાનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે અને આજે મહંત સ્વામી મહારાજ પણ તે જ ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
આજે આપણો દેશ અને સંસ્કૃતિ અખંડિત છે તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોના આશીર્વાદ રહેલા છે. આપણાં હિન્દુ સંતો માટે દુબઈ જેવા દેશમાં રાજા - મહારાજાઓ લાલ જાજમ પાથરીને સ્વાગત કરે એ સનાતન વૈદિક હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું સન્માન છે અને તેનો શ્રેય પ્રમુખસ્વામી મહારાજને જાય છે.
શ્રી એસ. વી. રમન્ન - સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ
મને પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ સિકંદરાબાદમાં મળ્યા હતા તે મારું સૌભાગ્ય છે અને સાથે સાથે દિલ્હી અક્ષરધામના દર્શન પણ મેં  કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજ એ દૂરંદેશી સંત હતા અને તેમનું સૂત્ર "બીજાના ભલામાં આપણું ભલું" એ વિશ્વમાં શાંતિનો સંદેશ આપે છે. આ સંસ્થાની સમાજ કાર્યની પ્રવુતિઓ ખરેખર અદભૂત છે અને સમાજના ઉત્થાનનું ઉત્તમ કાર્ય કરી રહી છે. "ચેરિટી બિગીન્સ એટ હોમ" એનું ઉત્તમ ઉદાહરણ એ આ બી.એ.પી.એસ સંસ્થા છે. પ્રમુખસ્વામી મહારાજના "અક્ષરધામ રિસ્પોન્સ" અને "પ્રમુખસ્વામી મહારાજે દિવસ રાત જોયા વગર ભક્તોને આપેલી મુલાકાતો" થી હું અભિભૂત છું.
શ્રી પીયૂષ ગોયલ - કેન્દ્રીય મંત્રી
આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ કરતાંની સાથે જ પ્રમુખસ્વામી સ્વામી મહારાજની ભવ્ય મૂર્તિનાં દર્શન કર્યા અને મેં તેમની પ્રેમ અને વાત્સલ્યભરી આંખોનું તેજ અનુભવ્યું. મારું સૌભાગ્ય છે કે લંડન સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા વખતે મને ત્યાં હાજર રહેવા મળ્યું હતું અને મારું જીવન ધન્ય બની ગયું.
મુંબઈમાં પણ 1995 માં પ્રમુખસ્વામી મહારાજ અમૃત મહોત્સવમાં પણ મને હાજર રહેવા મળ્યું હતું એ મારું સૌભાગ્ય હતું.અબુધાબી માં ભવ્ય હિન્દુ મંદિરના એલોટમેન્ટ લેટર નું ક્રમાંક 001 છે જે સૂચવે છે કે ઇસ્લામિક દેશમાં પ્રથમ વખત હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે એની પાછળ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ રહેલા છે. મારા મતે પ્રબંધન , સ્થાપત્ય કલા , સમર્પણ ભાવ, નિઃસ્વાર્થ સેવા  વગેરે શીખવા માટે આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને બી.એ.પી.એસ સંસ્થાએ ઉત્તમ સંસ્થાન છે.
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત પાછા લાવવા માટે તેમજ તેમના ભોજનની વ્યવસ્થામાં પણ બી એ.પી.એસ સંસ્થાએ અદભુત સહયોગ પૂરો પાડ્યો છે તે માટે હું આ સંસ્થાનો આભારી છું. પ્રમુખસ્વામી મહારાજે દેશ ભક્તિમાં દેવ ભક્તિનો ઉપદેશ આપ્યો છે. પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી અને સમગ્ર દેશવાસીઓ સાથે હંમેશા રહેશે એવું હું દ્રઢપણે માનું છું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.