Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુક્રેન યુદ્ધ વખતે BAPSના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે : વિદેશમંત્રીશ્રી ડૉ. એસ. જયશંકર

પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે અખાતી દેશ દિન હતો. આજે સાંધ્ય સભામાં દેશદુનિયાના મહાનુભાવોની ઉપસ્થિત રહ્યાં હતા અને સંસ્થાના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું.ડો. એસ. જયશંકર, વિદેશમંત્રીશ્રી- ભારત સરકારઆજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગર્વ અને સૌભાગ્યની વાàª
યુક્રેન યુદ્ધ વખતે bapsના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે   વિદેશમંત્રીશ્રી ડૉ  એસ  જયશંકર
પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે અખાતી દેશ દિન હતો. આજે સાંધ્ય સભામાં દેશદુનિયાના મહાનુભાવોની ઉપસ્થિત રહ્યાં હતા અને સંસ્થાના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું.
ડો. એસ. જયશંકર, વિદેશમંત્રીશ્રી- ભારત સરકાર
આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગર્વ અને સૌભાગ્યની વાત છે. પ્રમુખસ્વામી મહારાજને વિશ્વગુરુ તરીકે ઓળખવામાં આવે છે કારણકે તેઓએ ૫૦ થી વધુ દેશોમાં વિચરણ કર્યું છે. 17 હજારથી વધુ ગામડાઓમાં વિચરણ કર્યું છે, 1200થી વધારે મંદિરોનું નિર્માણ કર્યું છે 7 લાખથી વધારે પત્રો લખીને હરિભક્તોને આશીર્વાદ આપ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજે નાતજાત અને ઊંચનીચના ભેદભાવ વગર તમામ લોકોને અપનાવ્યા છે. આજે મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીર્વાદ મળ્યા એ મારા માટે સૌભાગ્યની વાત છે. અબુધાબીમાં બનનાર મંદિર પ્રમુખસ્વામી મહારાજની આધ્યાત્મિકતા અને દિવ્યતાની શક્તિ છે. ખાડી દેશોના બે મંદિરોનું નિર્માણ થવું એ ચમત્કારથી પણ મોટી વાત છે અને આવનારા વર્ષોમાં થાઇલેન્ડ, પેરિસ, સાઉથ આફ્રિકા , ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પણ BAPS મંદિરોનું નિર્માણ થશે એવું હું દ્રઢપણે માનું છું. દિલ્હી અક્ષરધામની ભવ્યતા , દિવ્યતા,શિસ્ત,પ્રબંધન વગેરે જોઈને હું ખૂબ જ અભિભૂત થયો હતો જે મારો બી.એ.પી.એસ સંસ્થા સાથેનો પ્રથમ પરિચય હતો. BAPS સંસ્થાનું સ્વયંસેવક દળ અને તેમનું સમર્પણ, નિઃસ્વાર્થ સેવા તેમજ પ્રબંધન એ વિશ્વભરમાં લોકો માટે શીખવાનો વિષય છે.
યુક્રેન યુદ્ધ વખતે 11 દેશોથી મોકલેલા BAPSના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે અને તેની પાછળ પ્રમુખસ્વામીની ભાવના "બીજા ના સુખમાં આપણું સુખ" ચરિતાર્થ થતી દેખાય છે. સંવેદનશીલતા, સેવા, સમુદાય અને માનવતા આ ચાર આદર્શો આ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થામાં જોવા મળે છે.આધુનિકતા અને સંસ્કૃતિનો સુભગ સમન્વય આ BAPS સંસ્થા અને તેના મંદિરોમાં જોવા મળે છે. વ્યક્તિગત સ્પર્શએ પ્રમુખસ્વામી મહારાજ અને આ સંસ્થાની આગવી વિશેષતા છે. "વસુધૈવ કુટુમ્બકમ" ની ભાવના આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જોવા મળે છે અને તે આજના વિશ્વમાં ખૂબ જ જરૂરી છે.
પદ્મશ્રી વીરેન્દ્ર હેગડે, ધર્માધિકારી - શ્રીક્ષેત્ર ધર્મસ્થળ,કર્ણાટક
પ્રમુખસ્વામી મહાર્જની સાધુતા અને સાદગી ખૂબ જ અદ્ભુત હતી અને તેમાથી ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ પણ પ્રભાવિત થયા હતા. મુખસ્વામી મહારાજ નગરના સ્વયંસેવકોનું સમર્પણ ખૂબ જ અદ્ભુત છે.
શ્રી થોમસ પેરેઝે, પૂર્વ સેક્રેટરી ઓફ લેબર - USA
પ્રમુખ સ્વામિ મહારાજ શતાબ્દી મહોત્સવ ખૂબ જ અદ્ભુત છે કારણકે કે તેમનું જીવન જ તેમનો સંદેશો હતો અને તેઓ સમગ્ર જીવન "બીજાના ભલામાં આપનું ભલું" એ ભાવના સાથે જીવ્યા છે. બીએપીએસ સંસ્થાએ અનેક કુદરતી આપત્તિઓમાં સમાજસેવા નું અનોખુ કાર્ય કર્યું છે તે ખૂબ જ પ્રશસનીય છે. અહીંના સ્વયંસેવકોએ માત્ર ભારતનું નહિ પરંતુ વિશ્વભરના ભવિષ્ય છે.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ
પ્રમુખસ્વામી મહારાજે અખાતી દેશોમાં કરેલું વિચરણ અને અથાગ પુરુષાર્થનું પરિણામ અબુધાબી નું મંદિર છે જે શાંતિનું ધામ બનશે અને બેનમૂન બનશે તેમજ બાહરીનમાં પણ અદ્ભુત મંદિર બનશે જે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધારશે. ભગવાન સૌનું ભલું કરે તે પ્રાર્થના કરીએ છીએ.
શ્રી અશોક કોટેચા, ટ્રસ્ટી - નિર્માણાધીન અબુધાબી BAPS હિન્દુ મંદિર
આજે પણ યાદ છે કે પ્રમુખસ્વામી મહારાજ  એપ્રિલ ૧૯૯૭ માં રણની વચ્ચે ગરમીમાં ઠાકોરજીને લઈને બેઠા હતા અને ભજન ચાલતું હતું. પછી પ્રમુખસ્વામી મહારાજે ધૂન શરૂ કરી અને બોલ્યા કે ‘વિશ્વમાં શાંતિ થાય , વિશ્વનાં દેશો વચ્ચે એકતા થાય  અને અંતે બોલ્યા કે અહી અબુધાબીમાં મંદિરનું નિર્માણ થાય’. આજે અબુધાબીમાં મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે તેની પાછળ પ્રભુને કેન્દ્રમાં રાખીને પ્રમુખસ્વામી મહારાજે કરેલી પ્રાર્થના રહેલી છે.
પૂ. પરમવંદન સ્વામી
પ્રમુખસ્વામી મહારાજ અને ગુરુપરંપરાના જીવનમાં પુરુષાર્થની સાથે ભગવાનની પ્રાર્થનાને પણ પ્રાથમિકતા આપી છે. આજે મહંતસ્વામી મહારાજનાના જીવનમાં પણ પ્રાર્થનાની પ્રાથમિકતા જોવા મળે છે અને તેઓ વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે નિયમિત પ્રાર્થના કરે છે. અબુધાબીનું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ આસ્થાનું સ્થાન છે તેની સાથે સૌહાર્દ અને સંવાદિતાનું કેન્દ્ર પણ છે. 1999માં પ્રમુખસ્વામી મહારાજ ઇજિપ્તની ધર્મયાત્રા માં ગયા હતા અને ત્યાં મ્યુઝિયમ ઓફ હિસ્ટરીમાં ઇજિપ્તના રાજાઓ માટે પ્રમુખસ્વામી મહારાજે તેમના કલ્યાણ માટે સ્વામિનારાયણ ધૂન કરી હતી.
પૂ. વિવેકસાગરસ્વામી
પ્રમુખસ્વામી મહારાજને બાહરીનના રાજા એ કહ્યું હતું કે "તમે બાહરીન ને તમારું ઘર બનાવો અને વારંવાર આવતા રહો" અને ત્યાં પણ સરકારના કાયદા મુજબ હરિમંદિરની  મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ અને અત્યારે સંસ્થાને ૪ એકર જમીન મંદિર નિર્માણ માટે મળી છે.
પૂ. આત્મસ્વરૂપસ્વામી
1999માં પ્રમુખસ્વામી મહારાજ ઇઝરાયેલની વેલિંગ વોલ જોવા હતા હતા અને ત્યાં જઈને પ્રમુખસ્વામી મહારાજે 2 ફૂલ પુષ્પો મૂકીને પ્રાર્થના કરી હતી.પ્રમુખસ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે કેમ 2 પુષ્પો મૂક્યા ત્યારે પ્રમુખસ્વામી મહારાજે જવાબ આપતા કહ્યું કે , "1 પુષ્પ અત્યાર સુધી તે સ્થળ પર આવેલા લોકો એ કરેલી બધી પ્રાર્થનાની પરિપૂર્તિ થાય અને બીજું પુષ્પ ભવિષ્યમાં આવનાર લોકો જે પ્રાર્થના કરે તેની પણ પરિપૂર્તિ થાય એવી ઉદ્દાત ભાવના પ્રમુખસ્વામી મહારાજની હતી.
શ્રી નજમ અલ કૂદસી, પૂર્વ CEO - અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સીલ
આજથી 10 વર્ષ પહેલાં મે પ્રમુખસ્વામી મહારાજના દર્શન અમદાવાદ સ્થિત શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કર્યા હતા એ દિવસ મારા માટે ખૂબ જ પુણ્યનો દિવસ હતો.પ્રમુખસ્વામી મહારાજના વ્યક્તિત્વની મારા પર ખૂબ જ ઊંડી અસર પડી હતી. અક્ષરધામ મંદિર હુમલા વખતે પ્રમુખસ્વામી મહારાજે આપેલો શાંતિ નો સંદેશો એ ખૂબ જ પ્રભાવક હતો. પ્રમુખસ્વામી મહારાજનો પ્રભાવ એવો છે કે આજે સાઉદી અરેબિયામાં પણ લોકો હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ અને એ પી જે અબ્દુલ કલામ સાહેબની મિત્રતા અનોખી હતી.
શ્રી ઇલિયાસ અકબર અલી, ચેરમેન & CEO સિપ્રોમેડ ગ્રુપ, માડાગાસ્કર
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું અને મહંત સ્વામી મહારાજના દર્શન કરવા મળ્યા એ મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને હું ખૂબ જ અભિભૂત છું , અહીંની સ્વચ્છતા , પ્રબંધન , સમર્પણ વગેરે અદ્ભુત છે. પ્રમુખસ્વામી મહારાજે આપણને શાંતિ , સંવાદિતા, ,ભલાઈ , પ્રેમ વગેરે ના પાઠ શીખવ્યા છે અને તે બધું આ નગરમાં જોવા મળે છે.
હું બાળકોને કહેવા માગું છું કે ,’પ્રમુખસ્વામી મહારાજે બતાવેલા આદર્શો અને મૂલ્યો ક્યારેય ભુલતા નહી અને જો તેનું પાલન કરશો તો જીવનમાં ખૂબ જ આગળ વધશો.’ વિશ્વભરમાંથી આવેલા 80 હજાર સ્વયં સેવકોનું સમર્પણ જોઈને હું નતમસ્તક છું કારણકે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ વગર આ શક્ય નથી.
અબુધાબીમાં બની રહેલું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ પ્રમુખસ્વામી મહારાજનો વારસો છે અને આ મંદિર બે અલગ અલગ સંસ્કૃતિને એક મંચ પર લાવશે. પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામ હુમલા પછી શાંતિ સંદેશો આપીને વિશ્વભરમાં માણસાઈનો સંદેશ પહોંચાડ્યો છે.
ડૉ. ડૉ. બસમ અલ ખાતીબ, સિરીયાના રાજદૂત - ભારત
આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દર્શાવેલા માનવીય મૂલ્યોનું દર્શન કરીને હું ખૂબ જ ગૌરવ અનુભવું છું અને પ્રમુખસ્વામી મહારાજે પ્રેમની ભાષા વિશ્વભરમાં લોકોને શીખવી છે.
ડૉ. અમન પૂરી, ભારતના કોનસુલ  જનરલ - UAE
પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતા નો સંદેશો આપ્યો છે અબુધાબીમાં બની રહેલું હિન્દુ સ્વામિનારાયણ મંદિર એ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
પૂ. બ્રહ્મવિહારી સ્વામી
અબુધાબીમાં પરંપરાગત હિન્દુ મંદિર નું નિર્માણ થઇ રહ્યું છે તે પ્રમુખસ્વામી મહારાજના પ્રાર્થના અને આશીર્વાદ તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ની ઇચ્છાશક્તિ વગર શક્ય નહોતું. ભગવાનની દયા હોય અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ હોય તો આ દુનિયામાં કઈ જ અશકય નથી. અબુધાબીનું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ બે જુદી જુદી સભ્યતા, સંસ્કૃતિ, વિચારો, નાગરિકો વગેરેને વધુ નજીક લાવશે અને તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રાર્થના રહેલી છે.
અબુધાબીની વિશાળ મસ્જિદમાં મહંત સ્વામી મહારાજ અને શેખ નહયાનનો ફોટો મૂકવામાં આવ્યો છે જે વિશ્વભરમાં સંવાદિતાનો સંદેશો આપે છે.પ્રમુખસ્વામી મહારાજ દરેક ધર્મો,દરેક દેશો,દરેક સભ્યતા,દરેક માણસોને જોડતા સેતુ સમાન હતા. સૂર્ય,પૃથ્વી,પાણી,આકાશ,પ્રકાશ આ પાંચ તત્વો સમગ્ર માનવજાત માટે છે તે રીતે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર માનવજાત માટે જીવ્યા હતા. અબુધાબી અને બાહરીનમાં બનનાર સ્વામિનારાયણ હિન્દુ મંદિર છે દંતકથા સમાન છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.