Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખસ્વામી મહારાજ હંમેશા પરોપકારની ભાવના સાથે જીવ્યા છે : પૂ. મહંતસ્વામી મહારાજ

પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ સાંધ્ય સભામાં સામાજીક અને રાજકિય ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર ચર્ચા કરી પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરે છે. આજે પણ સાંધ્ય સભામાં ગુજરાત ગૌરવ દિને મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પી હતી.પરમ પૂજ્ય મહંતસ્વામી
પ્રમુખસ્વામી મહારાજ હંમેશા પરોપકારની ભાવના સાથે જીવ્યા છે   પૂ  મહંતસ્વામી મહારાજ
પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ સાંધ્ય સભામાં સામાજીક અને રાજકિય ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર ચર્ચા કરી પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરે છે. આજે પણ સાંધ્ય સભામાં ગુજરાત ગૌરવ દિને મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પી હતી.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ
આ દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમુખસ્વામી મહારાજ માટે કરવામાં આવ્યું છે કારણકે તેમના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા પરોપકારની ભાવના સાથે જીવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતના વિકાસમાં અનોખું યોગદાન આપ્યું છે.
જ્યારે જ્યારે રાજ્યમાં મુશ્કેલી આવી ત્યારે તત્કાળ મોટા પાયે રાહતકાર્યો કર્યા છે. નર્મદા યોજનાની પરિપૂર્તિ માટે પ્રમુખસ્વામી મહારાજે નિઃસ્વાર્થ ભાવે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. યોગીજી મહારાજ જ્યારે જ્યારે નર્મદા નદી પરથી પસાર થતા ત્યારે નર્મદા યોજના માટે પ્રાર્થના કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતમાં અનેક વિદ્યાધામ બનાવીને બાળકોમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કર્યું છે.

શ્રી ભીખુદાનભાઈ ગઢવી, લોક સાહિત્યકાર
પ્રમુખસ્વામી મહારાજની હાજરીમાં મેં અનેક કાર્યક્રમો કર્યા છે ત્યારે તેઓ નાના બાળકની જેમ હસતા હતા, તેવું પવિત્ર એમનું હાસ્ય હતું. પ્રમુખસ્વામી મહારાજ નગરને વર્ણવા માટે મારી પાસે શબ્દો નથી, તેવું ભવ્ય અને દિવ્ય આ નગર છે. પ્રમુખસ્વામી મહારાજનું હૃદય એકદમ ઋજુ હતું અને એમના ચરણોમાં વંદન કરીએ એટલે બધું જ આવી જાય.
"શાંતિ પમાડે તેને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ" એવા શાંતિ આપનારા સંત પ્રમુખસ્વામી મહારાજ હતા અને મહંતસ્વામી મહારાજ છે.’ સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો’ આ પંક્તિને ચરિતાર્થ કરતા પ્રમુખસ્વામી મહારાજે સૌને જનેતાની જેમ પ્રેમ આપ્યો છે અને લોકોના દિલોમાં સ્થાન પામ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતોના મુખમાંથી નીકળતા વેણ એ મોતી જેવા વેણ છે જેનો ચારો કરી લઈશું તો જીવન બદલાઈ જશે.
શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, હાસ્ય કલાકાર
પ્રમુખસ્વામી મહારાજનું હાસ્ય નાના બાળક સમાન હતું અને તેઓને મારા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો જો ‘I’ એટલે કે અહંકારને આડો પાડી દઈએ તો ભગવાન સુધી પહોંચવાનો પુલ બની જાય. પ્રમુખસ્વામી મહારાજ આવા અહંશૂન્ય પુરુષ હતા. આ મહોત્સવ ન જોયો હોત તો વસવસો રહી જાત.
શ્રી દીપકભાઈ દેસાઈ, દાદા ભગવાન ફાઉન્ડેશન
પ્રમુખસ્વામી મહારાજ એવા મહાપુરુષ હતા કે દરેકના દિલમાં વસી જાય. અનેક લોકોના કલ્યાણને અર્થે ઘરો ઘર વિચરણ કર્યું છે અને અનેક લોકોની દાવાનળ રૂપી અગ્નિને શાંત કરી છે. પ્રમુખસ્વામી મહારાજમાં ભગવાન સ્વામિનારાયણે સમજાવેલો પ્રખર ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોવા મળતો હતો અને તેઓ દેહભાવથી પર હતા. પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર જીવનમાં પોતાના ગુરૂહરિને રાજી કરવા મન વચન અને કાયાથી અથાગ પુરુષાર્થ કર્યાં છે અને એ જ એમનો સર્વોચ્ચ ધ્યેય હતો.
સત્પુરુષના શરણે જઈએ ત્યારે પોતાની સાચી ઓળખ થાય છે અને પ્રમુખસ્વામી મહારાજ ભલે સ્થૂળ દેહ અહી હાજર નથી પરંતુ સુક્ષ્મદેહે નિરંતર આપણી સાથે છે. દરેક હરિભક્તોને ખરાબ સમયમાં હંમેશા એવી અનુભૂતિ થતી હતી કે,"પ્રમુખસ્વામી મહારાજ મારી સાથે છે અને તેમની હૂંફ અને પ્રેમ મારી પાસે જ છે, તેઓ હાજરાહજૂર જ છે.
80 હજાર સ્વયંસેવકો અહી નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય કૃપા રહેલી છે કારણકે તેઓએ ખુદ પોતાનો દેહ ઘસી નાખીને અન્યને માટે જીવ્યા છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ અલૌકિક અને ધાર્મિક નગરી છે જ્યાં શાંતિના સ્પંદનો અનુભવાય છે. સદીઓ સુધી પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ માનવજાતને મળતા રહેશે.
શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી
પ્રમુખસ્વામી મહારાજના સાક્ષાત્ દર્શન થાય છે તેવા મહંત સ્વામી મહારાજ છે. હું પ્રમુખસ્વામી મહારાજ સાથે 1980થી સંકળાયેલો છું અને પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં 1100થી વધારે મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે.
પ્રમુખસ્વામી મહારાજ આગળ ગુજરાત રાજ્યની કોઈ પણ સમસ્યા રજૂ કરીએ ત્યારે બીજા જ દિવસથી વિશ્વભરના તમામ મંદિરોમાં ધૂન અને પ્રાર્થના શરૂ કરવી દેતા. વિદેશોમાં પણ મંદિરોનું નિર્માણ કરીને ત્યાંના બાળકોમાં પણ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો જળવાઈ રહે તે માટે બાળ સભા અને રવિ સભા દ્વારા સતત પ્રયત્નશીલ રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજ હંમેશા સમાજના વિકાસ માટે ચિંતિત રહ્યા છે અને સમાજના ઉદ્ધાર માટે સતત તેઓએ સતત પુરુષાર્થ કર્યો છે.પ્રમુખસ્વામી મહારાજને તેમના કાર્યો અને યોગદાન માટે હું યુગપુરુષ અને ધર્મપુરુષ માનું છું.
શ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી - ગુજરાત
પ્રમુખસ્વામી મહારાજ એક વિરાટ વ્યક્તિત્વ હતું જેને લાખો માણસો સાથે પરિચય હતો અને દરેક સાથે સ્નેહના તાંતણે બંધાયેલા હતા. પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ સંસ્થા, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું વિશ્વભરમાં ગૌરવ વધાર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે કચ્છ ભૂકંપ વખતે તાત્કાલિક બધી જ સહાય મોકલીને સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ધરતીકંપના પ્રથમ દિવસે જ તમામ લોકોને નાતજાતના ભેદભાવ વગર ખીચડી અને કઢી જમાડીને અનેક લોકોને શાંતિ અને હૂંફ આપી હતી જે અદ્વિતીય હતી.
ગુજરાતને વિશ્વભરમાં મહાત્મા ગાંધી સરદારભાઈ પટેલ, નરેન્દ્રભાઇ મોદીએ ગૌરવ અપાવ્યું છે તે રીતે ધાર્મિક અને સેવા ક્ષેત્રે પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. વિશ્વભરમાં શાંતિનો સંદેશ આપવામાં પ્રમુખસ્વામી મહારાજનો સિંહફાળો છે.
આજે દિલ્હીમાં આવેલા બીજા દેશના કોઈ પણ વ્યક્તિ સૌ પ્રથમ દિલ્હી અક્ષરધામ જોવા જવાનો આગ્રહ રાખે છે એવું વિશાળ અને ભવ્ય અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરાવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ એ માત્ર ભારત કે ગુજરાતના નહિ પરંતુ વિશ્વવંદનીય સંત છે.
શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી ગુજરાત
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ભવ્ય અને દિવ્ય છે કારણકે પ્રમુખસ્વામી મહારાજનું જીવન માત્ર અને માત્ર પોતાના કલ્યાણ માટે નહિ પરંતુ સમષ્ટિના કલ્યાણ માટે હતું અને તેના માટે તેઓ અન્યને પ્રેરણા મળે તેવું જીવન જીવ્યા હતા.પ્રમુખસ્વામી મહારાજ લોકોમય હતા કારણકે તેઓ નાનામાં નાના માણસથી લઈને અનેક લોકોના ઘરે પધરામણી કરી છે, પત્રો દ્વારા માર્ગદર્શન આપ્યું છે. "પ્રાર્થના + પુરુષાર્થ = સફળતા" એ સૂત્ર તેમના આધ્યાત્મિક જીવનનો નિચોડ હતો.
ધર્મ પ્રત્યે અને સંતો પ્રત્યે વિશ્વાસ અને શ્રધ્ધા વધે તેવું જીવન પ્રમુખસ્વામી મહારાજ જીવ્યા છે. અક્ષરધામ હુમલા વખતે પ્રમુખસ્વામી મહારાજ સતત નરેન્દ્રભાઇ મોદી અને લાલકૃષ્ણ અડવાણી સાથે સંપર્કમાં હતા અને આવી ગંભીર સ્થિતિમાં પણ સમ્યક ભાવે બધી વ્યવસ્થાનું સંચાલન કરી રહ્યા હતા અને શાંતિનો સંદેશો વિશ્વભરમાં આપ્યો હતો જેના લીધે સમગ્ર ગુજરાત અને વિશ્વમાં શાંતિ સ્થાપી હતી.
આજે ગુજરાત સમૃદ્ધ અને સલામત છે તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજનો પુરુષાર્થ રહેલો છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવથી આવનારા સમયમાં સદીઓ સુધી અનેક લોકોના જીવન પરિવર્તન થશે તેવો મને પૂર્ણ શ્રદ્ધા છે.
શ્રી શૈલેષભાઈ સગપરિયા, મોટિવેશનલ સ્પીકર
પ્રમુખસ્વામી મહારાજે ગુજરાત અને ગુજરાતી ભાષાને વિશ્વ કક્ષાએ ગૌરવ અપાવ્યું છે અને યુએનના ઇતિહાસમાં પ્રમુખસ્વામી મહારાજે પ્રથમ વખત વિશ્વ ધર્મ પરિષદમાં ગુજરાતી ભાષામાં પ્રવચન કરીને ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે બનાવેલા વિશ્વભરના વિદ્યાલયોમાં પણ ગુજરાતી ભાષાનું અધ્યયન કરાવવામાં આવે છે. સૌથી જૂનો ગઢ ગિરનાર એ ગુજરાતમાં છે અને સૌથી જૂનું નગર લોથલ પણ ગુજરાતમાં આવેલું છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ ગુજરાતી, અખંડ ભારતના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતી, અવકાશ વિજ્ઞાનના પિતામહ વિક્રમ સારાભાઈ પણ ગુજરાતી, લશ્કરના પિતામહ સામ માણેકશા પણ ગુજરાતી હતા. આધુનિક ભારતના નિર્માતા શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.