Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધન લાભ નથી મળી રહ્યો, સુખ નથી મળી રહ્યું તો આજે જ આ ઉપાય અજમાવો

આજના સમયમાં દરેક વ્યક્તિ પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ઘણી વખત લાખ પ્રયત્નો કરવા છતાં પણ પૈસા ભેગા થતા નથી અને ફાયદો પણ નથી થતો તો બીજી તરફ ઘરમાં અનેક પ્રકારની ખામીઓ રહે છે જેના કારણે ઘરમાં પ્રગતિ...
ધન લાભ નથી મળી રહ્યો  સુખ નથી મળી રહ્યું તો આજે જ આ ઉપાય અજમાવો

આજના સમયમાં દરેક વ્યક્તિ પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ઘણી વખત લાખ પ્રયત્નો કરવા છતાં પણ પૈસા ભેગા થતા નથી અને ફાયદો પણ નથી થતો તો બીજી તરફ ઘરમાં અનેક પ્રકારની ખામીઓ રહે છે જેના કારણે ઘરમાં પ્રગતિ અને સમૃદ્ધિ નથી આવતી. આજે આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી ધન લાભ થશે અને ઘરમાં સુખ-શાંતિ પણ આવશે.

Advertisement

1- જો તમને વિશેષ લાભ જોઈતો હોય તો 14 મુખી રુદ્રાક્ષ સોનામાં મઢાવી તેને શુદ્ધ વાસણમાં મંગળવારની સવારે લાલ ફૂલના આસાન પર રાખો અને પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવો. આ પછી ગંગાના જળ અથવા શુદ્ધ પાણીથી સ્નાન કરાવો. આ પછી આ રુદ્રાક્ષને ધૂપ દીપથી પૂજન કરીને તેને સોનાની સાંકળ અથવા લાલ દોરામાં ધારણ કરીને નીચે આપેલા મંત્રનો 42 દિવસ સુધી જાપ કરો.

ॐ ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा:।।

Advertisement

2- જો તમે લક્ષ્મી અને કીર્તિ મેળવવા ઈચ્છતા હોવ તો તમારા ઘરની ઉત્તર દિશામાં અથવા પૂજા ગૃહમાં સંપૂર્ણ શ્રીયંત્ર સ્થાપિત કરવું જોઈએ. ગંધ, અક્ષત, ધૂપ, દીપથી પૂજા કર્યા પછી નીચે આપેલા મંત્રની માળાનો 49 દિવસ સુધી દરરોજ પાઠ કરવો. સર્વાર્ધ સિદ્ધિ યોગ અથવા ગુરુ પુષ્ય અથવા શુક્રવારે યંત્ર સ્થાપિત કરો તો વધુ સારું છે.

ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:।।

Advertisement

3- ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે તેમની પાસે ઘણા પૈસા છે પણ તે ખર્ચ થઈ જાય છે. આવી સ્થિતિમાં અમે તમને એક ઉપાય જણાવીએ છીએ. તમારે માત્ર એટલું કરવાનું છે કે જ્યારે તમે ઘઉંને દળાવો તો તેની પહેલા તેમાં તુલસીના 11 પાન નાંખો. ત્યારપછી મંદિરમાં કેટલુક અનાજ રાખો. બીજા દિવસે મંદિરમાંથી તે જ અનાજ લાવો અને તેને અનાજમાં ભેળવી દો અને પછી તેને પીસી લો. આ સાથે તમારી તિજોરીમાં પૈસા વધવા લાગશે.

4 - જો તમે તમારું ઘર બનાવવા માટે પૈસા એકત્ર નથી કરી શકતા, તો તમારે એક ઉપાય કરવો પડશે. દર શુક્રવારે કોઈ ગરીબ છોકરીને ખવડાવો અને રવિવારે ગાયને રોટલી અને ગોળ આપો. આ ઉપાય દર શુક્રવાર અને રવિવારે સતત કરવા જોઈએ. આમ કરવાથી તમે જોશો કે ટૂંક સમયમાં તમારું મકાન નિર્માણનું સ્વપ્ન સાકાર થશે.

Tags :
Advertisement

.