Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : જિલ્લામાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગવાનો સિલસિલો જારી

VADODARA : વડોદરા જિલ્લામાં લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીના બહિષ્કારના (BOYCOTT ELECTION) બેનરો લાગવાનો સિલસિલો જારી છે. ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર અને દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદની પ્રક્રિયામાં વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના ખેડૂતોને અન્યાય થતા એકતા ગ્રામીણ પ્રજા...
vadodara   જિલ્લામાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગવાનો સિલસિલો જારી
Advertisement

VADODARA : વડોદરા જિલ્લામાં લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીના બહિષ્કારના (BOYCOTT ELECTION) બેનરો લાગવાનો સિલસિલો જારી છે. ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર અને દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદની પ્રક્રિયામાં વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના ખેડૂતોને અન્યાય થતા એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ આ પ્રકારે વિરોધ કરવાનું નક્કી કર્યું હોવાનું સામે આવ્યું છે. એક તરફ ચૂંટણી તંત્ર વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે, તો બીજી તરફ ચૂંટણી બહિષ્કારના બેનરો લાગી રહ્યા છે.

Advertisement

યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં નહિ આવ્યું હોવાનું બુમો

વડોદરા જિલ્લાના અનેક ગામોમાંથી ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર અને દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન કરવામાં આવ્યું છે. તેની સામે યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં નહિ આવ્યું હોવાનું બુમો ઉઠવા પામી છે. જેને લઇને લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ મોરચો કલેક્ટર કચેરીએ પણ પહોંચ્યો હતો. રજૂઆતના થોડાક જ દિવસોમાં ચૂંટણીની જાહેરાત થતા આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.

Advertisement

ચૂંટણી બહિષ્કારનું બેનર લગાવી દેખાવો

ત્યારે હવે વડોદરા જિલ્લામાં એક પછી એક અનેક ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગવાના શરૂ થઇ ગયા છે. તાજેતરમાં વરણામા ગામે ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનું બેનર લગાવી દેખાવો કર્યા છે. જે બાદ આ પ્રકારે વિરોધ શેરખી, ગોરીયાદ ગામે પણ જોવા મળ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

બેનરમાં શું લખવામાં આવ્યું છે

બેનરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, ચૂંટણી બહિષ્કાર, વડોદરા જિલ્લાના દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે અને કોરીડોર રેલવે કોરીડોર સંપાદિત જનીનના ખેડૂતોને અન્યાય થયેલ છે. તેના વિરોધમાં ચૂંટણી બહિષ્કાર. કોઇ પણ પક્ષના નેતાઓએ ચૂંટણી બાબતે ગામમાં પ્રવેશ કરવો નહિ.

સુરત, વલસાડના ખેડૂતોની સરખામણીએ ઓછું વળતર

સુત્રોના જણાવ્યા અનુસાર, સરકારી પ્રોજેક્ટમાં જમીન ગુનાવનાર ખેડૂતો ઓછા વળતર બાબતે આર્બીટ્રેશનમાં વધુ વળતર મેળવવા માટે કેસો દાખલ કર્યા હતા. પરંતુ તેમાં કોઇ નક્કર ઉકેલા આવ્યો નથી. સુરત, વલસાડ અને નવસારીના ખેડૂતોને જે વળતર મળ્યું છે, તેની સરખામણીએ વડોદરા જિલ્લાના ખેડૂતોને ખુબ ઓછું વળતર મળ્યું છે. જેને લઇને હવે ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિરોધ આગામી સમયમાં શાંત થાય તેવા કોઇ એંધાણ હાલ તબક્કે જોવા મળી રહ્યા નથી.

આ પણ વાંચો --VADODARA : બુધ-ગુરૂવારે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાશે

Tags :
Advertisement

Trending News

.

×