અસ્થિર મગજની સગીરા પર પાંચ નરાધમોએ વારંવાર આચર્યુ દુષ્કર્મ, ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
અંકલેશ્વર પંથકના એક ગામમાં માનસિક અસક્ષમતા ધરાવતી સગીરા બકરા ચરાવા જતી હતી તે દરમિયાન નરાધમોએ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચાર્યુ હતું.. અને સગીરાને ૬ મહિનાનો ગર્ભ રહી ગયો હતો.. આ હકીકત સોનોગ્રાફીમાં સામે આવતા પોલીસે ૨ સગીર યુવક અને ૩ અન્ય મળી પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે
ફરિયાદીની દીકરી માનસિક અસક્ષમતા ધરાવે છે.. અને ખેતરે તથા બકરા ચરાવા જતી વેળા તથા તેના માતા પિતા ની ગેરહાજરીમાં નરાધમો તેને પીખતા રહ્યા હોવાના કારણે સગીરાને ૬ મહિનાનો ગર્ભ રહી ગયો હોવાનો ભાંડો ફૂટ્યો છે. સોનોગ્રાફીમાં સગીરા ગર્ભવતી હોવાનો ભાંડો ફૂટતા આખરે આ ગર્ભ કોના થકી રહ્યો છે તેના માટે પોલીસે પણ ભારે કમર કસી છે.. અને માનસિક અસક્ષમતા ધરાવતી સગીરાની પણ પૂછપરછ કરવામાં આવી હતી... મેડિકલ પરીક્ષણ કરવામાં આવતા પાંચ નરાધમોએ 10 મહિના સુધી તેણીની ઉપર દુષ્કર્મ આંચર્યું હોય અને તેના થકી ગર્ભ રહી ગયો હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેના પગલે પોલીસે પણ પીડીતાની માતાની ફરિયાદ લઈ નરાધમો સામે અપહરણ બળાત્કાર સહિતની આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કરી તાત્કાલિક ધોરણે નરાધમોની ધરપકડ કરી હતી.
અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે ipc ની કલમ અપહરણ 363,366, બળાત્કાર એક્ટ 376 (જે)(એલ)(એન), 506 (2), પોકસો 4,6,12 મુજબ ગુનો દાખલ કરી તમામ નરાધમોના મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે કાર્યવાહી શરૂ કરી છે
ઝડપાયેલા નરાધરમાં એક વૃદ્ધ બે યુવાન અને બે સગીર બાળકો..
૧) પ્રભુભાઈ ચીમનભાઈ વસાવા ઉંમર વર્ષ 62
(૨) કિશન ઉર્ફે કાળીયો શંકર વસાવા ઉંમર વર્ષ 22
(૩) સંદીપ ઉર્ફે ગંદો છના વસાવા ઉંમર વર્ષ 25
આ ઉપરાંત 2 સગીર વયના આરોપીઓ મળી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે