Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT : રણબીર કપૂરનાં કાર્યક્રમમાં પડાપડી, 20 લોકો ઇજાગ્રસ્ત

SURAT : સુરતમાં (SURAT)ખાનગી જ્વેલર્સની (JEWELLERS)દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે રણબીર કપૂર (Ranbir Kapoor)ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રણવીરને જોવા માટે ભાગદોડ મચી હતી જેના કારણે મહિલા અને બાળકો જમીન પર પટકાયા હતા. ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવી...
surat   રણબીર કપૂરનાં કાર્યક્રમમાં પડાપડી  20 લોકો ઇજાગ્રસ્ત
Advertisement

SURAT : સુરતમાં (SURAT)ખાનગી જ્વેલર્સની (JEWELLERS)દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે રણબીર કપૂર (Ranbir Kapoor)ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રણવીરને જોવા માટે ભાગદોડ મચી હતી જેના કારણે મહિલા અને બાળકો જમીન પર પટકાયા હતા. ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

Advertisement

રણબીર પરફોર્મન્સ કર્યા વગર એરપોર્ટ રવાના થયો

મળતી માહિતી મુજબ, સુરતમાં (SURAT) આવેલા ખાનગી જ્વેલર્સની દુકાનના ઉદ્ઘાટન માટે અભિનેતા રણબીર કપૂરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રણવીર કપૂર સુરતના મહેમાન બન્યા છેના ખબર મળતા લોકોની ભીડ જામી હતી. રણબીર કપૂરને જોવા માટે લોકોએ ધક્કા-મૂક્કી કરતા અફરાતફરી મચી હતી. ભાગદોડની ઘટનામાં મહિલાઓ-બાળકો જમીન પર પટકાયા હતા. આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. રણબીર પરફોર્મન્સ કર્યા વગર એરપોર્ટ રવાના થયો છે.

Advertisement

અભિનેતા રણબીર કપૂરના કાર્યક્રમમાં ભારે ધક્કામુક્કી

જ્વેલર્સના કાર્યક્રમ માટે સુરત આવેલા અભિનેતા રણબીર કપૂરના કાર્યક્રમમાં ભારે ધક્કામુક્કી અને પડાપડીનો માહોલ સર્જાતા આયોજકો અને પોલીસ દોડતી થઈ હતી. એક ખાનગી જ્વેલર્સના શોરૂમના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. જેમાં રણબીર કપૂરને બોલાવવામાં આવ્યો હતો. રણબીરને જોવા આવેલા લોકોના ધસારાને લીધે લોખંડના બેરિકેડિંગ તૂટ્યા હતા. પોલીસ અને ખાનગી સિક્યોરિટી ગાર્ડની બેદરકારી સામે આવી હતી. બંને તરફના બેરિકેડ પાસે લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને લોખંડના બેરિકોડ તૂટ્યા હતા.

લોકો રણબીર કપૂરનાં સ્ટેજ સુધી પહોંચી ગયા હતા. આખો રોડ બંધ થઈ ગયો હતો. છતાંય પોલીસ મુક પ્રેક્ષક બની રહી હતી. જેને કારણે ભાગદોડ સર્જાયા બાદ લોકો એકની ઉપર એક પડ્યા હતા. નાના બાળકો પણ મોટી સંખ્યામાં રણબીર કપૂરને જોવા આવ્યા હતા. પડાપડી થતાં બાળકો કચડાયા હતા. લોકો પોતાના બૂટ ચપ્પલ છોડી ભાગ્યા હતા. ભારે અફરાતફરી થતાં માતા-પિતા બાળકોને શોધવા બુમાબુમ કરવા લાગ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તે અંગે હજી કોઈ માહિતી મળી નથી.

આ પણ  વાંચો - Video : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના રોશન સિંહ સોઢીએ ગુમ થયા પહેલા કરી હતી આ પોસ્ટ…

આ પણ  વાંચો - Ramayan ની તસ્વીરો Viral, રણબીર કપુર રામ અને સાંઇ પલ્લવી સીતાજીના રોલમાં દેખાયા

આ પણ  વાંચો - VADODARA : કમાટીબાગમાં આધેડે ઝેરી દવા ગટગટાવી

Tags :
Advertisement

.

×