13 વર્ષની સગીરા પર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ કરનાર આરોપી ઈન્સ્પેક્ટરની ધરપકડ
ઉત્તર પ્રદેશના લલિતપુરમાં પોલીસ સ્ટેશનની અંદર પીડિતા પર દુષ્કર્મ કરનાર આરોપી પોલીસ ઈન્સ્પેક્ટર
તિલકધારી સરોજની પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી છે. તેના પર લલિતપુરના પાલી પોલીસ
સ્ટેશનની અંદર એક સગીર સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. કેસ નોંધાતાની સાથે જ પોલીસ
ઈન્સ્પેક્ટર તિલકધારી સરોજ ફરાર થઈ ગયો હતો. તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ
દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ
આજે લલિતપુર પહોંચી ગયા છે અને બળાત્કાર પીડિતા તેમજ તેના પરિવારના સભ્યોને મળી
રહ્યા છે. લલિતપુર પહોંચતા પહેલા અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ન્યાય માટે લોકોના દરવાજે પહોંચવું પડે છે. તો સાથે સાથે સમાજવાદી
પાર્ટી દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું હતું કે, 'યોગી જીની પોલીસ નિરંકુશ
બની ગઈ છે, ચંદૌલીમાં માસૂમ પુત્રી પર બળાત્કાર અને હત્યાના આરોપો પછી લલિતપુરના પાલીમાં યુપીની યોગીજીની પોલીસ પર પોલીસકર્મીઓ દ્વારા
હુમલો કરવામાં આવ્યો હતો. બળાત્કારનો આરોપ છે, છેડતી, હત્યા, અપહરણ, ખંડણી પછી હવે યુપી પોલીસ પણ દુષ્કર્મ અને ગેંગ-રેપ કરવા લાગી છે.