ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બે બહેનોની લટકતી હાલતે લાશો મળતા ચકચાર
ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાંથી શેરડીના ખેતરમાંથી બે સગીર છોકરીઓના મૃતદેહ મળી આવ્યા છે. ઘટના નિઘાસન કોતવાલી વિસ્તારની છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને મૃતક સગીર છોકરીઓ સગી બહેનો છે. તેનો મૃતદેહ શેરડીના ખેતરમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. આ ઘટના પાછળ બાઇક સવારોનો હાથ હોવાની આશંક
ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાંથી શેરડીના ખેતરમાંથી બે સગીર છોકરીઓના મૃતદેહ મળી આવ્યા છે. ઘટના નિઘાસન કોતવાલી વિસ્તારની છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને મૃતક સગીર છોકરીઓ સગી બહેનો છે. તેનો મૃતદેહ શેરડીના ખેતરમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. આ ઘટના પાછળ બાઇક સવારોનો હાથ હોવાની આશંકા છે, જેમના પર સગીર છોકરીઓને તેમના ઘરેથી અપહરણ કરીને લટકાવવાનો આરોપ છે. લખીમપુરમાં બે બહેનોના શંકાસ્પદ મૃત્યુના આ કેસમાં એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે અધિકારીઓને તપાસ માટે લખીમપુર મોકલવામાં આવ્યા છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. પરિવારજનો તરફથી મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જો આ કેસમાં હત્યાનો મામલો સામે આવશે તો ગુનેગારોને છોડવામાં આવશે નહીં.
હાલના જ દિવસોમાં લખીમપુર ખેરીમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓ વધી ગઈ છે. લખીમપુર ખેરી જિલ્લાના મોહમ્મદી વિસ્તારમાં 15 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પોલીસે પાંચ યુવકો વિરુદ્ધ ગુન્હો નોંધીને તેમને કસ્ટડીમાં લીધા હતા. અધિક પોલીસ અધિક્ષક અરુણ કુમાર સિંહે જણાવ્યું હતું કે, મોહમ્મદી કોતવાલી વિસ્તારના એક ગામમાં તે જ ગામના 5 છોકરાઓએ કિશોરી પર કથિત રીતે હુમલો કર્યો અને સામૂહિક બળાત્કાર કર્યો હતો.
Advertisement