Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉદ્ધવ ઠાકરેના પ્રહાર, કોઇ બાળા સાહેબનું નામ નહીં લઇ શકે

મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે અને બળવો કરનારા એકનાથ શિંદે વચ્ચે હવે બાળા સાહેબ ઠાકરેના વારસાના મુદ્દે લડાઇ શરુ થઇ છે.  એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યો સાથે તેમના જૂથનું નામ બદલીને શિવસેના (બાળાસાહેબ) રાખ્યું છે. બીજી તરફ શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે  કહ્યું કે શિંદે પહેલા નાથ હતા, હવે દાસ થઈ ગયા છે. શિવસેના પ્રમà«
10:49 AM Jun 25, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે અને બળવો કરનારા એકનાથ શિંદે વચ્ચે હવે બાળા સાહેબ ઠાકરેના વારસાના મુદ્દે લડાઇ શરુ થઇ છે.  એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યો સાથે તેમના જૂથનું નામ બદલીને શિવસેના (બાળાસાહેબ) રાખ્યું છે. બીજી તરફ શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે  કહ્યું કે શિંદે પહેલા નાથ હતા, હવે દાસ થઈ ગયા છે. શિવસેના પ્રમુખ ઠાકરેએ કહ્યું કે, બાળાસાહેબના નામનો ઉપયોગ અન્ય કોઈ કરી શકે નહીં
મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરિક લડાઈ હવે વારસાની લડાઈ સુધી પહોંચી ગઈ છે. એકનાથ શિંદે તેમના જૂથનું નામ શિવસેના બાળાસાહેબ રાખીને ઉદ્ધવ ઠાકરેને પડકારવા જઈ રહ્યા છે. શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે બાળાસાહેબ તેમના પિતા હતા અને તેમના પિતાના નામનો ઉપયોગ અન્ય કોઈ કરી શકે નહીં.
બેઠકમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પહેલા શિંદે નાથ હતા પરંતુ તેમની જ પાર્ટી શિવસેનાને ભાજપમાં સામેલ કરીને તેઓ પાર્ટી સાથે છેતરપિંડી કરી રહ્યા છે. એટલે હવે શિંદે નાથનો દાસ બની ગયા છે. તેમણે શિંદેને પડકાર ફેંક્યો કે જો તેઓ હિંમત કરે તો તેમના પક્ષ અથવા જૂથનું નામ તેમના પિતાના નામ પર રાખે. ચૂંટણી સમયે તમારા પિતાના નામ પર વોટ માંગવા જાઓ, ચાલો જોઈએ કે તમને કોણ વોટ આપે છે.
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. એક પ્રસ્તાવ હેઠળ શિવસેના ચૂંટણી પંચ પાસે જશે. શિવસેના પંચમાં અપીલ કરશે કે અન્ય કોઈ બાળાસાહેબના નામનો ઉપયોગ ન કરે. અન્ય પ્રસ્તાવોમાં ઉદ્ધવ બળવાખોરો પર કાર્યવાહી કરશે. હિન્દુત્વ અને મરાઠી ઓળખનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. અંતિમ ઠરાવમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ઘણા દિવસોથી ગુવાહાટીમાં ધામા નાખેલા શિંદે જૂથે મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરને ઈ-મેલ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ મોકલ્યો હતો. જેને ફગાવી દેવામાં આવ્યો છે. ડેપ્યુટી સ્પીકર વતી કહેવામાં આવ્યું છે કે પત્રમાં જે સહી છે તે ધારાસભ્યોની અસલ નથી. બીજી તરફ, ડેપ્યુટી સ્પીકર તરફથી ઝટકો મળ્યા બાદ, શિંદે જૂથે ભાવિ રણનીતિ નક્કી કરવા માટે ગુવાહાટીમાં બેઠક યોજી હતી.
Tags :
EknathShindeGujaratFirstMaharashtraShivSenaUddhavThackeray
Next Article