ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમાં સાત દિવસ સુધી રોજ 17 હજાર ક્યુસેક પાણી છોડાશે
રાજ્યમાં વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ પાણીના મુદ્દે સરકારને કરેલી માંગનો સરકારે સ્વીકાર કર્યો છે આ વિસ્તારોમાં સિંચાઇ માટે પૂરતુ પાણી ઉપલબ્ધ કરવા સરકાર દ્વારા તમામ શાખા નહેરો અને માઇનોર કેનાલમાં પૂરતું પાણી પહોંચાડીને સિંચાઇનુ પાણી ઉપલબ્ધ કરાવાશે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જોડાયેલા 700 થી વધુ તળાવોમાં પણ પાણી નાંખવામાં આવશે.રાજ્યન
રાજ્યમાં વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ પાણીના મુદ્દે સરકારને કરેલી માંગનો સરકારે સ્વીકાર કર્યો છે આ વિસ્તારોમાં સિંચાઇ માટે પૂરતુ પાણી ઉપલબ્ધ કરવા સરકાર દ્વારા તમામ શાખા નહેરો અને માઇનોર કેનાલમાં પૂરતું પાણી પહોંચાડીને સિંચાઇનુ પાણી ઉપલબ્ધ કરાવાશે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જોડાયેલા 700 થી વધુ તળાવોમાં પણ પાણી નાંખવામાં આવશે.
રાજ્યના જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે તેવા તમામ વિસ્તારોમાં નર્મદાના પાણીનો લાભ આપવામાં આવશે જે માટે આગામી એક સપ્તાહ સુધી નર્મદા મુખ્ય કેનાલમાં 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે જેથી તમામ કેનાલ અને તળાવ ભરી શકાય..
ઉપરાંત કરમાવત અને મુક્તેશ્વર માટે પણ અલાયદી યોજનાને સૈધ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે. કરમાવત માટે ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ પંસદ કરીને ટૂંક સમયમાં જ સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે. અંદાજીત રૂ 500 કરોડના ખર્ચે 112 હેક્ટર વિસ્તાર ધરાવતા મોટા તળાવમાં પાણી નાંખીને 70 જેટલા ગામોને લાભ મળશે.
Advertisement