Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુદામા મંદિરનો ૮ વર્ષથી બંધ જૂનો દરવાજો ખોલવા વેપારીઓની માંગ

પોરબંદર (Porbandar) શહેરના સુદામા ચોક વિસ્તારમાં કૃષ્ણ સખા સુદામાનું એકમાત્ર મંદિર આવેલ હોવાથી દરરોજ હજારો યાત્રાળુઓ મંદિરની મુલાકાતે આવે છે. ત્યારે પોરબંદરના મુખ્ય બજારના વેપારીઓએ સુદામા મંદિરનો જૂનો અને મુખ્ય દ્વાર ખોલવા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. જો આ દરવાજો ખુલશે તો વેપારીઓને વ્યાપારીક લાભ મળશે. સુદામા મંદિરના કુલ ત્રણ દરવાજા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા કૃષ્ણ સખા
01:04 AM Dec 20, 2022 IST | Vipul Pandya
પોરબંદર (Porbandar) શહેરના સુદામા ચોક વિસ્તારમાં કૃષ્ણ સખા સુદામાનું એકમાત્ર મંદિર આવેલ હોવાથી દરરોજ હજારો યાત્રાળુઓ મંદિરની મુલાકાતે આવે છે. ત્યારે પોરબંદરના મુખ્ય બજારના વેપારીઓએ સુદામા મંદિરનો જૂનો અને મુખ્ય દ્વાર ખોલવા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. જો આ દરવાજો ખુલશે તો વેપારીઓને વ્યાપારીક લાભ મળશે. 
સુદામા મંદિરના કુલ ત્રણ દરવાજા 
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા કૃષ્ણ સખા સુદામાની ભૂમિ પોરબંદરમાં હજારો પ્રવાસીઓ અને યાત્રાળુઓ મુલાકાત આવે છે. હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ગાંધી જન્મસ્થળ ખાતે દુર દુરથી દેશ-વિદેશના પર્યટકો પણ મુલાકાત આવે છે. આ પર્યટકો કૃષ્ણ સખા સુદામાના મંદિરની પણ મુલાકાત લે છે. સામાન્ય દિવસોમાં પણ સુદામાજીના મંદિરે યાત્રાળુઓની અવર જવર રહે છે. સુદામા મંદિરના કુલ ત્રણ દરવાજા આવેલા છે. એક દરવાજો સુદામાચોક તરફ તો બીજો દરવાજો હરીશ ટોકીઝના પાછળના ભાગે તો ત્રીજો અને જૂનો દરવાજો જે એટીમ વાળા રસ્તા પર ખુલ્લે છે. આ ત્રણ દરવાજામાના માત્ર એક જ દરવાજો ખુલ્લો હોવાથી વેપારીઓને વ્યસાયિક નુકશાન થઇ રહ્યું છે. ત્યારે આ દરવાજો ખોલવા વેપારીઓએ મામલતદારને લેખીતમાં રજૂઆત કરી છે. 
પ્રવાસીઓ સાથે વ્યવસાયનો વ્યાપારીક લાભ મળતો નથી
રજૂઆતમાં જણાવ્યા મુજબ સુદામાજી મંદિર પાસે ઘણા વર્ષોથી દુકાન રાખી વ્યવસાય કરીએ છીએ. પોરબંદર શહેરના સુદામાજી મંદિરનો જૂનો અને મુખ્ય દરવાજો કે જે તમારી દુકાનોની સામે આવેલ છે તે અંદાજે છેલ્લા ૭થી ૮ વર્ષથી બંધ છે. જેથી અમારી દુકાનની સામે આવેલ મુખ્ય દરવાજો બંધ હોવાથી આવતા જતા પ્રવાસીઓ સાથે વ્યવસાયનો વ્યાપારીક લાભ મળતો નથી. જેથી વેપારીઓની માગ છે કે સુદામા મંદિરનો જૂનો (મુખ્ય) દરવાજો વહેલી તકે ખોલવામાં આવે. 
આ પણ વાંચો--સાવલીના લસુન્દ્રા પંથકમાં કેનાલો તૂટેલી, સમસ્યાનો નિકાલ કરવા માગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
demandGujaratFirstPorbandarSudamaTemple
Next Article