ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી થશે ખરાખરીની ટક્કર, 27 ઓગષ્ટથી શ્રીલંકા રમાશે એશિયા કપ

ક્રિકેટ પ્રેમીઓ માટે આજે સારા સમાચાર સામે
આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી ખરાખરીનો જંગ રમાશે. જી હા આજે એશિયા કપને
લઈને જાહેરાત કરવામાં આવી છે. એશિયા કપ ક્રિકેટ દર બે વર્ષે યોજાય છે
પરંતુ કોરોના મહામારીના પગલે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) દ્વારા 2020માં
રમાનાર એશિયા કપ રદ્દ કરવામાં આવ્યો હતો. ACC જૂન 2021માં શ્રીલંકામાં રમાનારી
ટુર્નામેન્ટનું આયોજન કરવા માંગતી હતી. પરંતુ રોગચાળાએ આયોજકોની યોજનાઓને બગાડી નાખી. હવે એશિયા કપ આ વર્ષે 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી શ્રીલંકામાં યોજાશે. આ
ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. આ માટે ક્વોલિફાયર 20 ઓગસ્ટ 2022થી રમાશે.
ટીમ ઈન્ડિયા એશિયા કપ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. આ ટૂર્નામેન્ટ 1984માં પ્રથમ વખત આયોજિત થઈ ત્યારથી ભારત સાત વખત ટાઈટલ જીત્યું છે. ભારતીય ટીમ 1984, 1988,
1990-91, 1995, 2010, 2016 અને 2018માં ચેમ્પિયન રહી છે. બીજી તરફ શ્રીલંકા પાંચ ટાઇટલ જીત સાથે બીજા
નંબર પર છે. શ્રીલંકાએ 1986, 1997, 2004, 2008 અને 2014માં આ ખિતાબ જીત્યો હતો.
આ એશિયા કપમાં ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાખરીના જંગ રમાશે. આ
સમાચાર મળતા જ ક્રિકેટ રસિયાઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. વિશ્વમાં સમગ્ર
ક્રિકેટમાં જો કોઈ મેચની ચર્ચા થતી હોય અને તે છે ભારત પાકિસ્તાન મેચ. ભારત પાકિસ્તાનની
મેચને લઈને માત્ર ભારત અને પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આતુરતા રહે
છે. ત્યારે હવે એશિયા કપની જાહેરાત થતા ફરી પાકિસ્તાન અને ભારત વચ્ચે ખરાખરીની
ટક્કર જોવા મળશે.