Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મિત્રના ડોક્યુમેન્ટ પર લોન લઈ મિત્રએ જ ઠગાઈ આચરતા આધેડે કર્યું ન કરવાનું કામ

અમદાવાદમાં મિત્રની મદદ કરવાનું આધેડને ભારે પડ્યું છે.વેજલપુરમાં આધેડ વ્યક્તિએ લોનની ઉધરાણીનાં ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું છે.આધેડની સાથે કામ કરતા મિત્રએ જ તેઓના નામે અનેક લોન લઈને ઠગાઈ આચરતા આધેડે લોનનાં હપ્તાની ઉધરાણીથી અંતિમ પગલુ ભર્યું હોવાનું બહાર આવ્યુ છે.અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં વણકરવાસમાં રહેતા આધેડે લોનની ઉધરાણીથી કંટાળીને આપધાત કર્યો હોવાની ધટના સામ
09:36 AM Apr 19, 2022 IST | Vipul Pandya

અમદાવાદમાં મિત્રની મદદ કરવાનું આધેડને ભારે પડ્યું છે.વેજલપુરમાં આધેડ વ્યક્તિએ લોનની ઉધરાણીનાં ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું છે.આધેડની સાથે કામ કરતા મિત્રએ જ તેઓના નામે અનેક લોન લઈને ઠગાઈ આચરતા આધેડે લોનનાં હપ્તાની ઉધરાણીથી અંતિમ પગલુ ભર્યું હોવાનું બહાર આવ્યુ છે.

અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં વણકરવાસમાં રહેતા આધેડે લોનની ઉધરાણીથી કંટાળીને આપધાત કર્યો હોવાની ધટના સામે આવી છે.ડ્રાઈવર તરીકે કામ કરતા મહેન્દ્ર ગોહેલે પોતાનાં ઘરમાં ગેલેરીની છતમાં ચેનલનાં વાયરથી ગળેટુંપો દઈને આપધાત કરી લેતા ચકચાર મચી છે.આ મામલે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ વેજલપુમાં નોંધાઈ છે જેમાં આધેડની સાથે ડ્રાઈવીંગનું જ કામ કરતા યોગેશ શુક્લા તેમજ તેની પત્નિએ ભેગા મળીને આધેડના નામે અલગ અલગ લોન લીધી હતી, જેનાં હપ્તા પોતે ન ભરતા આધેડનાં ઘરે બેન્કવાળા ઉધરાણી કરતા કંટાળીને પોતાનાં જીવનનો અંત લાવી દીધો હતો.


આરોપી યોગેશ શુક્લા અને મૃતક મહેન્દ્ર ગોહેલ એક સાથે નોકરી કરતા હતા, ત્યારે આરોપીને મોબાઈલ લેવાનો હોવાથી મહેન્દ્ર ગોહેલનાં ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા, જે મોબાઈલની લોન ભરપાઈ કર્યા બાદ આરોપીઓએ ભેગા મળીને મહેન્દ્ર ગોહેલનાં ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને 3-4 એસી, એક 80 હજારની કિંમતનું ફ્રીજ અને બે મોબાઈલ ફોન ફાઈનાન્સ પર ખરીદ્યા હતા.. જે બાદ આરોપીએ લોનનાં હપ્તા ન ભરતા 15 હજારનો પગાર ધરાવનાર મહેન્દ્ર ગોહેલનાં બેંક ખાતામાંથી હપ્તા કપાતા હતા અને બેન્ક કર્મીઓ ઘરે પણ ઉઘરાણીએ આવતા હોવાથી અંતે આધેડે આત્મહત્યા કરતા ચકચાર મચી છે..


આધેડે આપધાત પહેલા લખેલી સુસાઇડ નોટ પાકીટમાંથી મળી આવતા પરિવારને આ મામલે જાણ થઈ હતી.. વેજલપુર પોલીસે આ મામલે સુસાઈડ નોટનાં આધારે આંબાવાડીમાં રહેતા દંપત્તિ સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. 
Tags :
GujaratFirstloanscameSusideVejalpur
Next Article