Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી', પોસ્ટમોર્ટમ કરનાર વ્યક્તિએ કર્યો મોટો દાવો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં સોમવારે નાટકીય વળાંક આવ્યો. સુશાંત સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ (Postmortem) કરનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે આત્મહત્યા નથી કરી. સુશાંતનું પોસ્ટમોર્ટમ કરાવનાર રૂપકુમાર શાહે પણ આવો જ દાવો કર્યો હતો અને કહ્યું હતું કે અભિનેતાના શરીર અને ગરદન પર અનેક નિશાન છે. શાહે દાવો કર્યો કે જ્યારે મેં સુશાંતનો મૃતદેહ જોયો ત્યારે મેં તરત જ મારા સિનિયર્સને કહ્યà
04:08 AM Dec 27, 2022 IST | Vipul Pandya
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં સોમવારે નાટકીય વળાંક આવ્યો. સુશાંત સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ (Postmortem) કરનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે આત્મહત્યા નથી કરી. સુશાંતનું પોસ્ટમોર્ટમ કરાવનાર રૂપકુમાર શાહે પણ આવો જ દાવો કર્યો હતો અને કહ્યું હતું કે અભિનેતાના શરીર અને ગરદન પર અનેક નિશાન છે. શાહે દાવો કર્યો કે જ્યારે મેં સુશાંતનો મૃતદેહ જોયો ત્યારે મેં તરત જ મારા સિનિયર્સને કહ્યું કે તે આત્મહત્યા નથી પણ હત્યા છે. જોકે, મારા સિનિયરોએ તરત જ ફોટોગ્રાફ લેવા અને ડેડબોડી આપવા કહ્યું હતું. આ જ કારણ છે કે રાત્રે જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
 સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ મળ્યો હતો
સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020 ના રોજ ઉપનગરીય બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. રિયા ચક્રવર્તી પર સુશાંતની આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો અને તેની સંપત્તિનો ગેરઉપયોગ કરવાનો આરોપ હતો. 'મેરે ડૅડ કી મારુતિ' અને 'જલેબી' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી 29 વર્ષીય રિયાને સુશાંતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ ટ્રાફિકિંગ કેસમાં 28 દિવસની જેલ થઈ હતી.
 શરીર પર ઘણા નિશાન હતા
ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં શાહે કહ્યું, 'જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું, તે દરમિયાન અમને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં પાંચ મૃતદેહો મળ્યા હતા. એ પાંચ મૃતદેહોમાંથી એક વીઆઈપી બોડી હતી. જ્યારે અમે પોસ્ટમોર્ટમ કરવા ગયા તો અમને ખબર પડી કે VIP બોડી સુશાંતની છે અને તેના શરીર પર ઘણા નિશાન હતા. તેના ગળા પર પણ બે થી ત્રણ નિશાન હતા. પોસ્ટમોર્ટમ રેકોર્ડ કરવાની જરૂર હતી, પરંતુ ઉચ્ચ અધિકારીઓને માત્ર મૃતદેહના ફોટોગ્રાફ્સ લેવા માટે કહેવામાં આવ્યું હતું. તેથી, અમે ફક્ત તે આદેશોનું પાલન કર્યું. 

આ આત્મહત્યા નથી, પરંતુ હત્યા છે
આટલું જ નહીં, પોસ્ટમોર્ટમ કરાવનાર વ્યક્તિએ એવો પણ આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હોવાની સત્તાવાળાઓને જાણ કરવા છતાં તેને 'નિયમો મુજબ' કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું. શાહે કહ્યું, 'જ્યારે મેં પહેલીવાર સુશાંતનો મૃતદેહ જોયો, ત્યારે મેં તરત જ મારા ઉપરી અધિકારીઓને જાણ કરી કે મને લાગે છે કે આ આત્મહત્યા નથી, પરંતુ હત્યા છે. મેં તેમને એમ પણ કહ્યું કે આપણે નિયમો પ્રમાણે કામ કરવું જોઈએ. જો કે, મારા ઉપરી અધિકારીઓએ મને જલદી ફોટોગ્રાફ્સ ક્લિક કરવા અને મૃતદેહ પોલીસને સોંપવાનું કહ્યું. એટલા માટે અમે રાત્રે જ પોસ્ટમોર્ટમ કર્યું.
આ પણ વાંચો--આજે બોલિવુડના 'ભાઈજાન' સલમાન ખાનનો જન્મદિવસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BollywoodGujaratFirstPostmortemSushantSinghRajput
Next Article