જ્યાં શિવલીંગ છે તે જગ્યા સીલ કરવા અને નમાજ ચાલુ રાખવા સુપ્રીમ કોર્ટનો આદેશ, વધુ સુનાવણી ગુરૂવારે
જ્ઞાનવાપી મસ્જિદના
વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું
કે જ્યાંથી શિવલીંગ મળી આવ્યું છે તે જગ્યાને સીલ કરી દેવામાં આવે અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં
આવે. જિલ્લા પ્રશાસનને આદેશ આપતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે શિવલીંગની જગ્યાને
સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. પરંતુ તેના કારણે પ્રાર્થનામાં કોઈ વિક્ષેપ ન પડવો જોઈએ. આ સાથે સુપ્રીમ
કોર્àª
11:54 AM May 17, 2022 IST
|
Vipul Pandya
જ્ઞાનવાપી મસ્જિદના
વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું
કે જ્યાંથી શિવલીંગ મળી આવ્યું છે તે જગ્યાને સીલ કરી દેવામાં આવે અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં
આવે. જિલ્લા પ્રશાસનને આદેશ આપતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે શિવલીંગની જગ્યાને
સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. પરંતુ તેના કારણે પ્રાર્થનામાં કોઈ વિક્ષેપ ન પડવો જોઈએ. આ સાથે સુપ્રીમ
કોર્ટે આગામી સુનાવણી માટે ગુરુવારની તારીખ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના
નિર્ણયમાં કહ્યું કે, આગામી સુનાવણી સુધી અમે વારાણસીના
ડીએમને આદેશ આપીએ છીએ કે જ્યાં શિવલીંગ મળે છે તે જગ્યાની સુરક્ષા કરે, પરંતુ મુસ્લિમોને નમાઝ પઢવામાં કોઈ સમસ્યા ન આવે.
Next Article