Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Zoom પર સ્પીકરના ઘરે નેતાઓની ઈમરજન્સી બેઠક, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને PMને રાજીનામું આપવા..

શ્રીલંકામાં આજે ફરી લોકો રસ્તા પર ઉતર્યા છે. એકબાજુ મોંઘવારીએ માજા મુકી છે તો બીજી તરફ કટોકટી સર્જાઈ છે. જેના પગલે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે લોકોની ધીરજ ખુટી ગઈ છે. અને રસ્તા પર ઉતરી ગયા છે. જેના પગલે સરકાર મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. શ્રીલંકાની આર્થિક પરિસ્થિતિથી ત્રસ્ત લોકોએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાન પર કબજો જમાવ્યો હતો. રà
zoom પર સ્પીકરના ઘરે નેતાઓની ઈમરજન્સી બેઠક  શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને pmને રાજીનામું આપવા

શ્રીલંકામાં આજે ફરી લોકો રસ્તા પર ઉતર્યા છે. એકબાજુ મોંઘવારીએ
માજા મુકી છે તો બીજી તરફ કટોકટી સર્જાઈ છે. જેના પગલે લોકોને મોટી મુશ્કેલીનો
સામનો કરવો પડી રહ્યો છે. હવે લોકોની ધીરજ ખુટી ગઈ છે. અને રસ્તા પર ઉતરી ગયા છે.
જેના પગલે સરકાર મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
શ્રીલંકાની આર્થિક
પરિસ્થિતિથી ત્રસ્ત લોકોએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાન પર
કબજો જમાવ્યો હતો. રાષ્ટ્રપતિ તેમના નિવાસસ્થાનથી ભાગી ગયા છે. વિરોધીઓએ
રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં પણ તોડફોડ કરી હતી. બીજી તરફ રેલી દરમિયાન
શ્રીલંકાની પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આમાં લગભગ
100 લોકો ઘાયલ થયા છે.

Advertisement


Advertisement


Advertisement

દરમિયાન, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે, શ્રીલંકાના વર્તમાન વડા પ્રધાન રાનિલ
વિક્રમસિંઘેએ પાર્ટીના નેતાઓની તાકીદની બેઠક બોલાવી છે. તેમણે સ્પીકરને સંસદનું
સત્ર બોલાવવાની પણ અપીલ કરી છે. દરમિયાન
, શ્રીલંકા
પોદુજાના પેરામુના (
SLPP) ના 16 સાંસદોએ
રાષ્ટ્રપતિ ગોટાબાયાને તાત્કાલિક રાજીનામું આપવા વિનંતી કરતો પત્ર લખ્યો છે.

શ્રીલંકામાં
વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો તે પહેલા જ રાષ્ટ્રપતિ ગોતયાબા રાજપક્ષે
પરિવાર સાથે નાસી છૂટ્યા હતા. તે દેશમાં છે કે દેશ છોડીને ગયો છે
, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં
તેના ભાગી જવાની અટકળો લગાવવામાં આવી રહી છે. વાયરલ વીડિયો દ્વારા દાવો કરવામાં
આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ પોતાના પરિવાર સાથે જહાજમાં સવાર થઈને ભાગી ગયા હતા.

તે જ સમયે, અન્ય એક વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો
છે કે એક
VIP કાફલો કોલંબો
ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો અને શ્રીલંકા એરલાઈન્સના પ્લેનમાં બેસીને ક્યાંક
રવાના થઈ ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એકમાત્ર વીઆઈપી રાષ્ટ્રપતિ હોઈ
શકે છે.

શ્રીલંકાની આર્થિક
અને રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે. સાવચેતી રાખીને
, સરકારે તમામ શાળાઓ તેમજ ચાર રાજ્ય યુનિવર્સિટીઓને
15 જુલાઈ સુધી અસ્થાયી
રૂપે બંધ કરી દીધી છે.
વિરોધીઓએ રાષ્ટ્રપતિ
ભવન પર કબજો જમાવ્યો તે પછી સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેએ સાંજે
4:00 વાગ્યે પાર્ટીના
નેતાઓની વિશેષ બેઠક બોલાવી હતી. હાલમાં બેઠક ચાલી રહી છે. એવા અહેવાલો છે કે
બેઠકમાં તમામ નેતાઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને રાજીનામું આપવા વિનંતી કરી
છે.

Tags :
Advertisement

.