અંબાજી મંદિરના ચાચર ચોકમાં શીવ તાંડવ આરતી કરવામા આવી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીરà«
04:06 PM Feb 08, 2023 IST
|
Vipul Pandya
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે. વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
શ્રીમદ દેવી ભાગવત કથા
શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં વ્યાસ પીઠાચાર્ય પરમ પૂજ્ય શ્રી માઈ ધર્મચાર્ય શ્રી હરેન્દ્ર બાલેંદુ ભગવતી કેસર ભવાની મહારાજ (શ્રી માઈ મંદિર નડિયાદ વાળા) દ્વારા તારીખ 6 ફેબ્રુઆરી થી તારીખ 14 ફેબ્રુઆરી સુધી 25 પોથી પારાયણ સાથે શ્રીમદ દેવી ભાગવત કથા અંબાજી મંદિરના ચાચર ચોકમાં શરૂ થઇ ગઈ છે, ત્યારે ખેડબ્રહ્મા રોડ પર આવેલા ડીકે ત્રિવેદી રેસીડેન્સથી જીતેન્દ્રભાઈ ડી પરિવાર દ્વારા પોથી યાત્રા 6 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી જેમા મોટી સંખ્યામાં લોકો કથા મા હાજરી આપવા આવ્યા હતા.
25 વર્ષ બાદ દેવી ભાગવત કથા યોજાઈ
અંબાજી મંદિરના ચાચરચોકમાં 25 વર્ષ બાદ દેવી ભાગવત કથા યોજાઈ છે અને આજે કથાનો ત્રીજો દિવસ હોઈ રોજે રોજ માઈ ભક્તો કથામાં આવી માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે આ કથામાં અંબાજીના અને અંબાજી આવતા માઈ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી ભક્તિ કરતા જોવા મળી રહ્યા છે.અંબાજી મંદિર ખાતે માતાજીના ચાચરચોકમાં હાલમાં દેવી ભાગવત કથા બપોરના સમયે શરુ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યા સુધી ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી માતાજીના દર્શન સાથે સાથે કથામાં જોડાઈ રહ્યા છે.
51 શક્તિપીઠ પરીક્રમા યોજાશે
અંબાજી ખાતે આગામી દિવસોમાં ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરીક્રમા પણ યોજાવા જઈ રહ્યો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર ખાતે તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે અને આગામી 12 થી 16 ફેબ્રુઆરીના દિવસે ગિરનારની લીલી પરીક્રમા ની જેમ ગબ્બર પર્વતની પરીક્રમા અને મહા શક્તિ યાગ પણ યોજાવા જઈ રહ્યો છે જેમા ભક્તો મોટી સંખ્યામાં જોડાય તે માટે શક્તિ રથ પણ ગામે ગામે આમંત્રણ આપવા પહોંચી ગયા છે.
અંબાજી ખાતે આગામી દિવસોમાં ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરીક્રમા પણ યોજાવા જઈ રહ્યો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર ખાતે તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે અને આગામી 12 થી 16 ફેબ્રુઆરીના દિવસે ગિરનારની લીલી પરીક્રમા ની જેમ ગબ્બર પર્વતની પરીક્રમા અને મહા શક્તિ યાગ પણ યોજાવા જઈ રહ્યો છે જેમા ભક્તો મોટી સંખ્યામાં જોડાય તે માટે શક્તિ રથ પણ ગામે ગામે આમંત્રણ આપવા પહોંચી ગયા છે.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં શીવ તાંડવ આરતી મહારાજ દ્વારા કરવામા આવી
અંબાજી મંદિરના ચાચર ચોકમાં વ્યાસ પીઠાચાર્ય પરમ પૂજ્ય શ્રી માઈ ધર્મચાર્ય શ્રી હરેન્દ્ર બાલેંદુ ભગવતી કેસર ભવાની મહારાજ (શ્રી માઈ મંદિર નડિયાદ વાળા) દ્વારા કથાના ત્રીજા દિવસે કથા પૂર્ણ થવાના સમયે મહારાજે હાથ મા ત્રિશૂળ લઈને શિવ તાંડવ આરતી કરી હતી ,મહારાજ દ્વારા મંદિરના ચાચર ચોકમાં આરતી કરી હતી.આ અદભૂત આરતી જોવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને માતાજીના મંદિરમાં શિવ આરતી નો ભક્તોએ લાભ લીધો હતો. હાલમાં અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભક્તો બપોરે 2 વાગે થી 6 વાગ્યા સુધી દેવી ભાગવત કથા નો લાભ લઇ રહ્યા છે ત્યારે આજે ભક્તોને શિવ તાંડવ આરતી ના દર્શન થયા હતા. અંબાજી મંદિરમાં કથા કરવા આવેલા કથાકાર બાળપણથીજ શિવ તાંડવ આરતી કરે છે અને આજે પણ તેઓ શિવ તાંડવ આરતી કરતા જોવા મળ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article