Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર યથાવત, પરદા પાછળ ભાજપ હોવાનો શિવસેનાનો આરોપ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વાય.બી. ચવ્હાણ સેન્ટરમાં મોટી બેઠક થઈ રહી છે. આ બેઠક દરમિયાન સરકારના અસ્તિત્વ પર ઉભી થયેલી કટોકટી પર ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 12 વાગે બેઠક બોલાવી છે. આ પહેલા સંજય રાઉતે કેન્દ્રીય મંત્રી પર શરદ પવારને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પાછળ તેમણે ભાજપનો હાથ હોવાનું જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર યથાવત  પરદા પાછળ ભાજપ હોવાનો શિવસેનાનો આરોપ
Advertisement
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વાય.બી. ચવ્હાણ સેન્ટરમાં મોટી બેઠક થઈ રહી છે. આ બેઠક દરમિયાન સરકારના અસ્તિત્વ પર ઉભી થયેલી કટોકટી પર ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 12 વાગે બેઠક બોલાવી છે. આ પહેલા સંજય રાઉતે કેન્દ્રીય મંત્રી પર શરદ પવારને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પાછળ તેમણે ભાજપનો હાથ હોવાનું જણાવ્યું હતું. 
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે વિરુદ્ધ બળવો કરનારા લગભગ 40 ધારાસભ્યોના PSO (ખાનગી સચિવ અધિકારીઓ, કમાન્ડો અને કોન્સ્ટેબલ) વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ અધિકારીઓ સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે. જ્યારે આ તમામ ધારાસભ્યો બળવો કરીને મહારાષ્ટ્ર છોડી રહ્યા હતા ત્યારે આ તમામ અધિકારીઓએ વહીવટીતંત્ર અને ગુપ્તચર વિભાગને જાણ કરી ન હતી અને તેથી તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને સંબંધિત જિલ્લાના ધારાસભ્યોના આ અધિકારીઓને આવી કારણદર્શક નોટિસ પાઠવવા આદેશ કરાયો છે. 
શિવસેનાના નેતા સંજય રાઉતે શુક્રવારે ટ્વિટ કર્યું કે ભાજપના એક કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો મહાવિકાસ અઘાડી સરકારને બચાવવાના પ્રયાસો કરવામાં આવશે તો શરદ પવારને ઘરે જવા દેવામાં આવશે નહીં. મહાવિકાસ આઘાડીની સરકાર બચે કે ન બચે, પવાર વિરુદ્ધ આવી ભાષા સાંખી લેવામાં આવશે નહીં.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે શુક્રવારે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. ભાજપ શા માટે એનસીપી ચીફ શરદ પવારનું અપમાન કરી રહ્યું છે? તેમણે કહ્યું કે પવારનું અપમાન સહન કરવામાં આવશે નહીં. શિવસેનાના નેતાએ વધુમાં કહ્યું કે અમારા 12 ધારાસભ્યોએ બળવો કર્યો છે, તેમની સામે કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે રાઉતે કહ્યું કે સરકાર ક્યારે બનશે, બનશે કે નહીં, મને ખબર નથી. સંજય રાઉતે કહ્યું કે હવે કાયદાની લડાઈ થશે. કાગળ પર સંખ્યા બળ વધારે હોઈ શકે છે.
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સંજય શિરસાટે, જે એકનાથ શિંદ સાથે ગુવાહાટી હોટલમાં હાજર હતા. તેમણે કહ્યું કે અગાઉ ઘણી વખત ધારાસભ્યોએ ઉદ્ધવજીને કહ્યું હતું કે કોંગ્રેસ હોય કે એનસીપી, બંને શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણી વખત ધારાસભ્યોએ ઉદ્ધવજીને મળવા માટે સમય માંગ્યો હતો પરંતુ તેઓ ક્યારેય મળ્યા નથી.
તેમણે વધુમાં કહ્યું કે જો તમે શિવસેનાના ધારાસભ્યના મતવિસ્તાર પર નજર નાખો તો તહસીલદારથી લઈને મહેસૂલ અધિકારી સુધીના કોઈ અધિકારીની નિમણૂક ધારાસભ્ય સાથે ચર્ચા કરીને કરવામાં આવતી નથી. અમે ઉદ્ધવજીને ઘણી વાર આ વાત કહી હતી પરંતુ તેમણે ક્યારેય જવાબ આપ્યો ન હતો. 
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Gandhinagar: શિક્ષણ સહાયકો ભરતી અંગે મહત્ત્વનાં સમાચાર, વર્તમાન બેઠકોમાં વધારો કરાયો

featured-img
video

Fake Currency Expose in Gujarat: મની માર્કેટમાં નકલી માફિયાની એન્ટ્રી? આટલું સમજી લો.. સતર્ક રહો

featured-img
video

Gandhinagar : ગૃહમાં શિસ્તનો પાઠ ભણાવતા શંકરભાઈ ચૌધરી

featured-img
video

Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને

featured-img
video

Gujarat: જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા, રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે!

featured-img
video

Meerut Saurabh Case: સાયકો સાહિલે લખી ખુની સ્ક્રિપ્ટ! લાશનાં ટુકડા કરી ડ્રમમાં મૂક્યાં

Trending News

.

×