Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શિંદેનો ઉદ્ધવ પર પ્રહાર, કહ્યું - પુત્ર અને પ્રવક્તા અપશબ્દો બોલે છે અને તમારે સમર્થન જોઈએ છે

મહારાષ્ટ્રમાં ઘેરા રાજકારણ વચ્ચે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ સીએમ ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા છે. શિંદેએ બળવાખોર ધારાસભ્યોને સીએમ ઉદ્ધવની ભાવનાત્મક અપીલ પરના ટ્વિટ પર વળતો પ્રહાર કર્યો છે. તેણે લખ્યું છે કે તમારો પુત્ર અને પ્રવક્તા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે અને બીજી તરફ તમે સમર્થન માગી રહ્યા છો. ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર બળવાખોર ધારાસભ્યોને પાર્ટી અને તેમની
06:03 PM Jun 28, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રમાં ઘેરા રાજકારણ વચ્ચે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ સીએમ ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા છે. શિંદેએ બળવાખોર ધારાસભ્યોને સીએમ ઉદ્ધવની ભાવનાત્મક અપીલ પરના ટ્વિટ પર વળતો પ્રહાર કર્યો છે. તેણે લખ્યું છે કે તમારો પુત્ર અને પ્રવક્તા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે અને બીજી તરફ તમે સમર્થન માગી રહ્યા છો. 
ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર બળવાખોર ધારાસભ્યોને પાર્ટી અને તેમની સીએમની ખુરશી બચાવવા માટે ભાવનાત્મક અપીલ કરી. તેમણે પોતાના સંદેશમાં કહ્યું હતું કે, મને ખબર છે કે તમે ત્યાં કેદ થઈ ગયા છો. મને તમારી ચિંતા છે. તમારા દિલમાં હજુ પણ શિવસેના છે. હજુ મોડું નથી થયું. આવો અને સાથે મળીને વાત કરો.
ઉદ્ધવ ઠાકરેની અપીલ પર એકનાથ શિંદેએ પલટવાર કર્યો છે. ટ્વીટ કરીને સીએમ ઉદ્ધવ પર પ્રહાર કરતા શિંદેએ ટ્વીટ કર્યું, "એક તરફ તમારો પુત્ર (આદિત્ય ઠાકરે) અને પ્રવક્તા (સંજય રાઉત) શિવસેનાના ધારાસભ્યો સામે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે અને બીજી તરફ તમે હિન્દુ વિરોધી MVA સરકારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. સહારો જોઈએ છે ?
Tags :
AdityThackerayEknathShindeGujaratFirstMaharashtraPoliticsSanjayRautShivSenaswearingUddhavThackeray
Next Article