મની લોન્ડરીંગ કેસમાં સંજય રાઉતના 8 ઓગષ્ટ સુધીના રિમાન્ડ વધારાયા
મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટના આદેશ પર તેમણે 8 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડમાં રહેવું પડશે. EDના અધિકારીઓએ રવિવારે રાઉતની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક પૂછપરછ પણ કરવામાં આવી હતી.શિવસેનાના સાંસદ સંજય રાઉત પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં છે. રવિવારે ED અધિકારીઓએ તà
મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટના આદેશ પર તેમણે 8 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડમાં રહેવું પડશે. EDના અધિકારીઓએ રવિવારે રાઉતની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક પૂછપરછ પણ કરવામાં આવી હતી.
શિવસેનાના સાંસદ સંજય રાઉત પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં છે. રવિવારે ED અધિકારીઓએ તેમના ઘરની તલાશી લીધી હતી અને લગભગ છ કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. ઇડીએ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને પહેલા 4 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.
ગુરુવારે ED અધિકારીઓએ સંજય રાઉતને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા અને પછી તેમના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટના આદેશ પર, રાઉતને ફરીથી 8 ઓગસ્ટ સુધી ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
આ આખો મામલો પાત્ર ચાલ જમીનની ખરીદી સાથે જોડાયેલો છે. 1,039 કરોડના કૌભાંડનો આ મામલો છે. આ મામલામાં EDએ PMLA હેઠળ પણ કેસ નોંધ્યો છે. અગાઉ એપ્રિલમાં EDના અધિકારીઓએ સંજય રાઉતની પત્ની અને નજીકના સંબંધીઓની 11 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
Advertisement