Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RBIએ મહારાષ્ટ્રની લક્ષ્મી કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું, જાણો શું થશે ખાતધારકોનું?

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મહારાષ્ટ્રની લક્ષ્મી કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. સાથે જ આ બેંકને આપવામાં આવેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે તે તેના ખાતાધારકોને 5 લાખ રૂપિયા સુધીની રકમ પણ પરત કરે. આ સાથે આ બેંકમાં પોતાના પૈસા જમા કરાવનારા ખાતાધારકોને 5 લાખ રૂપિયા સુધી પાછા આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. હાલના થાપણદારોની સંપૂર્ણ રકમ ચૂકવવાની સ્થિતિમાં નથીજો કે, આ માà
rbiએ મહારાષ્ટ્રની લક્ષ્મી કો ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું  જાણો શું થશે ખાતધારકોનું
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મહારાષ્ટ્રની લક્ષ્મી કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. સાથે જ આ બેંકને આપવામાં આવેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે તે તેના ખાતાધારકોને 5 લાખ રૂપિયા સુધીની રકમ પણ પરત કરે. આ સાથે આ બેંકમાં પોતાના પૈસા જમા કરાવનારા ખાતાધારકોને 5 લાખ રૂપિયા સુધી પાછા આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
 
હાલના થાપણદારોની સંપૂર્ણ રકમ ચૂકવવાની સ્થિતિમાં નથી
જો કે, આ માટે ખાતાધારકોએ તેમની જમા રકમ અનુસાર બેંકમાંથી પૈસા ઉપાડવા માટે અરજી કરવાની રહેશે. ખાસ વાત એ છે કે મહારાષ્ટ્રમાં લક્ષ્મી કો-ઓપરેટિવ બેંક એકમાત્ર એવી બેંક નથી કે જેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. ગયા વર્ષની શરૂઆતમાં, રિઝર્વ બેંકે મહારાષ્ટ્રમાં પનવેલ સ્થિત કનરલા નગરી કોઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું હતું. રિઝર્વ બેંકે કહ્યું હતું કે આ સહકારી બેંક પાસે પૂરતી મૂડી નથી અને તે તેના હાલના થાપણદારોની સંપૂર્ણ રકમ ચૂકવવાની સ્થિતિમાં નથી.

થાપણદારને નવા નિયમો હેઠળ જમા રકમ પર વીમાનો દાવો કરવાનો અધિકાર
બેંકનું લાઇસન્સ રદ કરવાની જાહેરાત કરતા, કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે બેંક દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, 95 ટકા થાપણદારો તેમની સંપૂર્ણ થાપણો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) દ્વારા મેળવશે. જો બેંક ડૂબી જાય છે, તો દરેક થાપણદારને નવા નિયમો હેઠળ જમા રકમ પર વીમાનો દાવો કરવાનો અધિકાર છે, તેની મર્યાદા પાંચ લાખ રૂપિયા સુધીની છે, રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે કરનાલા નગરી સહકારી બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું. 

અર્બન કોઓપરેટિવ બેંક લિ.નું લાઇસન્સ રદ કર્યું હતું
અગાઉ 14 જુલાઈના રોજ આરબીઆઈએ પર્યાપ્ત મૂડી અને કમાણીની સંભાવનાના અભાવને કારણે ડૉ. શિવાજીરાવ પાટીલ નિલંગેકર અર્બન કોઓપરેટિવ બેંક લિ.નું લાઇસન્સ રદ કર્યું હતું જો કે બેંક ચુકવણી કરવામાં અસમર્થ હતી.
Advertisement
Tags :
Advertisement

.