ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવતો તહેવાર એટલે રક્ષાબંધન

આજે 11 ઓગસ્ટે દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવે છે. રક્ષાબંધનના શુભ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનને ભેટ આપે છે. આ સાથે તે જીવનભર રક્ષા કરવાનું વચન પણ આપે છે.  આ વર્ષે રક્ષાબંધન 11 અને 12 ઓગસ્ટે છે. યુક્તિ પંચાંગ અનુસાર સાવન પૂર્ણિમા તિથિ 11 ઓગસ્ટના રોજ સવારે 10:38 વાગ્યે શરૂ થશે અને 12 ઓગસ્ટ, 2022ના રોજ સવારે 07:05 વાગ્યે સમાપ
04:07 AM Aug 11, 2022 IST | Vipul Pandya
આજે 11 ઓગસ્ટે દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવે છે. રક્ષાબંધનના શુભ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનને ભેટ આપે છે. આ સાથે તે જીવનભર રક્ષા કરવાનું વચન પણ આપે છે.  
આ વર્ષે રક્ષાબંધન 11 અને 12 ઓગસ્ટે છે. યુક્તિ પંચાંગ અનુસાર સાવન પૂર્ણિમા તિથિ 11 ઓગસ્ટના રોજ સવારે 10:38 વાગ્યે શરૂ થશે અને 12 ઓગસ્ટ, 2022ના રોજ સવારે 07:05 વાગ્યે સમાપ્ત થશે. આજનો તહેવાર ભાઈ-બહેન માટે ખાસ કહેવાય છે. આ દિવસે, બહેનો ભાઈના કપાળ પર ટીકા લગાવીને તેમના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના ભાઈઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિની કામના કરવા માટે આરતી કરે છે અને ભાઈ તેના બદલામાં બહેનને ભેટ આપે છે અને હંમેશા તેની રક્ષા કરવાનું વચન આપે છે. દર વર્ષે રક્ષાબંધનો તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ, સાવન મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનના આ તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. તેને રાખી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હંમેશા શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને રાખડી બાંધવી જોઈએ. રક્ષાબંધનના દિવસે ભદ્રકાળનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. કહેવાય છે કે, ભદ્રકાળ રહે તે દરમિયાન રાખડી બાંધવામાં આવતી નથી. શાસ્ત્રોમાં આ સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એટલા માટે તમારે ભદ્રકાળના સમયે ભાઈના કાંડા પર રાખડી ન બાંધવી જોઈએ. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રકાળનો સમય ક્યારે શરૂ થશે. એ પણ જાણી લો કે ભદ્રા કાળમાં શા માટે રાખડી ન બાંધવી જોઈએ.
પંચાંગ અનુસાર, ભદ્ર પૂંછ 11 ઓગસ્ટ, ગુરુવારે સાંજે 5:17 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.18 વાગ્યે સમાપ્ત થશે. આ પછી ભદ્રામુખ સાંજે 6.18 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 8 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન તમારા ભાઈને રાખડી ન બાંધો. ભદ્રાકાળની સમાપ્તિ પછી જ રાખડી બાંધો. જોકે, જો ખૂબ જ મહત્વપૂર્ણ હોય, તો પ્રદોષ કાલ, શુભ, લાભ, અમૃતમાંના કોઈપણ એક ચોઘડિયાના દર્શન કરીને રાખડી બાંધી શકાય છે.
રાખડી બાંધવાનો શુભ સમય સવારે 9.28 થી રાત્રે 9.14 સુધીનો રહેશે. પરંતુ જો તેની વચ્ચે ભદ્રાકાળ હોય તો તે સમયે રાખડી ન બાંધવી જોઇએ.
રક્ષાબંધનની દંતકથા
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, મહાભારતમાં ભગવાન કૃષ્ણની આંગળી આકસ્મિક રીતે સુદર્શન ચક્રથી કપાઈ ગઈ હતી. આ જોઈને રાજકુમારી દ્રૌપદીએ આંગળીમાંથી વહેતું લોહી રોકવા માટે કપડાનો ટુકડો બાંધ્યો હતો. ભગવાન કૃષ્ણ દ્રૌપદીની લાગણીઓથી ખૂબ પ્રભાવિત થયા અને બદલામાં, તેણીને વિશ્વની તમામ અનિષ્ટોથી બચાવવાનું વચન આપ્યું. જ્યારે કૌરવોએ દ્રૌપદીને તેના ચિરહરણ દરમિયાન અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભગવાન કૃષ્ણએ તેને અપમાનથી બચાવીને પોતાનું વચન પાળ્યું.
રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કપાળ પર તિલક લગાવીને કાંડા પર રાખડી બાંધે છે. મીઠાઈ ખવડાવીને તેઓ મોં મીઠું કરે છે અને બહેન અને ભાઈ એકબીજાને ભેટ આપે છે. રાખી વિધિ ભાઈ-બહેન વચ્ચેના બંધનને દર્શાવે છે. આ સિવાય રાખડી બાંધીને ભાઈઓ તેમની બહેનોની રક્ષા કરવાનું, તેમની ઈચ્છાઓ પૂરી કરવા, તેમને આશીર્વાદ આપવા અને તેમના જીવનની દરેક મુશ્કેલીમાં સાથ આપવાનું વચન આપે છે.
આ પણ વાંચો - આ ગીત સાંભળ્યા પછી ભાઇ બહેનનો પ્રેમ વધી જશે રક્ષાબંધનની ફીલ કરાવતા આ બોલિવુડ સોંગ
Tags :
brotherFestivalGujaratFirstRakshabandhansister
Next Article
Home Shorts Stories Videos