Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ ઠાકરેને મળ્યું 99 ટકા શિવસૈનિકોનું સમર્થન, મહારાષ્ટ્ર સરકારના હોશ ઉડી ગયા

મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકર વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકાર અને નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે તણાવ દિવસે દિવસે વધી રહ્યો છે. રાજ ઠાકરે તરફથી આપવામાં આવેલી ચેતવણી પછી મહારાષ્ટ્ર પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે આજે એક ચોંકાવનારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ ઠાકરેને હવે શિવસેનાના સમર્થકો દ્વારા પણ સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દાને
10:40 AM May 05, 2022 IST | Vipul Pandya

મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકર વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકાર અને
નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે તણાવ દિવસે દિવસે વધી રહ્યો છે. રાજ
ઠાકરે તરફથી આપવામાં આવેલી ચેતવણી પછી મહારાષ્ટ્ર પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે
આજે એક ચોંકાવનારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ
ઠાકરેને હવે શિવસેનાના સમર્થકો દ્વારા પણ સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દાને
લઈને મોટાભાગના શિવસૈનિકો રાજ ઠાકરેના સમર્થનમાં છે. મંગળવારે રાજ ઠાકરેએ હિંદુઓને
મસ્જિદોની બહાર લાઉડ સ્પીકરમાં બમણા અવાજે હનુમાન ચાલીસા વગાડવાનું અપીલ કરી હતી.
બુધવારે તેમણે ફરી એકવખત ચેતવણી આપી હતી કે અમારી આ લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી
તમામ મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવામાં નહીં આવે.


ઈકોનોમિક્સ ટાઈમ્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઘણા શિવસૈનિકો
હવે રાજ ઠાકરેનું સમર્થન કરી રહ્યા છે. જેના પગલે મહારાષ્ટ્ર સરકાર અને ઉદ્ધવ
ઠાકરેની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અહેવાલ પ્રમાણે મુંબઈના પૂર્વ શાખાના
પ્રમુખનું કહેવું છે કે અમે આ મુદ્દાનો વિરોધ કેમ કરી શકીએ
? બાળા સાહેબનું આ સપનું હતું અને તેની લડાઈ
હતી. આ મુદ્દો રાજ ઠાકરે પહેલા અમારે ઉઠાવવો જોઈતો હતો. તો કેટલાક અધિકારીઓનું
માનવું છે કે રાજ ઠાકરેની વાતને 99 ટકા સમર્થન મળ્યું છે.


બુધવારે MNS વડાએ
સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેનો એક જૂનો વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં સાંભળી શકાય
છે કે એક કાર્યક્રમ દરમિયાન શિવસેનાના સ્થાપક મસ્જિદોમાંથી લાઉડસ્પીકરોને સ્ટેજ
પરથી હટાવવાની વાત કરી રહ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે બુધવારે રાજ્યમાં
ગેરકાયદેસર સ્પીકર હોવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ તેમણે
MNS ચીફના કામોને
ખેલ ગણાવ્યા છે. રાઉતે કહ્યું
, મહારાષ્ટ્રમાં
કોઈ ગેરકાયદે લાઉડસ્પીકર નથી. રાજ્યમાં સંપૂર્ણ શાંતિ છે... તે એક દિવસીય ખેલ હતો.
તેણે આગળ
કહ્યું
, રાત ગઈ બાત ગઈ. બાળ ઠાકરેના
વીડિયો અંગે તેમણે કહ્યું કે
, બાલ ઠાકરે
અને વીર સાવરકરે દેશને હિંદુત્વ શીખવ્યું છે. શિવસેનાની હિંદુત્વની શાળા વાસ્તવિક
છે.

Tags :
GujaratFirstLoudspeekerMaharashtraGovermentRAJTHACKERAYShivSainiksShivSena
Next Article