રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કરાવ્યું આ ઓપરેશન, ડોક્ટરોએ આપી આરામની સલાહ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રવિવારે દિલ્હી કેન્ટ સ્થિત આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિને મોતિયાની તકલીફ હતી. રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ આ માહિતી આપી.પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓપરેશન સફળ રહ્યું છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 'મુર્મુએ આજે મોતિયાનું ઓપરેશન કરાવ્યું,' ઓપરેશન સફળ રહ્યું અà
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રવિવારે દિલ્હી કેન્ટ સ્થિત આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિને મોતિયાની તકલીફ હતી. રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ આ માહિતી આપી.
પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓપરેશન સફળ રહ્યું છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. "મુર્મુએ આજે મોતિયાનું ઓપરેશન કરાવ્યું," ઓપરેશન સફળ રહ્યું અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે, 64 વર્ષીય દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈ, 2022ના રોજ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
જ્યારે આર્મી હોસ્પિટલ તરફથી પણ નિવેદન આવ્યું છે કે, રાષ્ટ્રપતિ મુર્મુએ આજે સવારે 11:30 વાગ્યે આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલ, દિલ્હી કેન્ટ ખાતે તેમની ડાબી આંખની સફળ મોતિયાની સર્જરી કરાવી હતી. બ્રિગેડિયર એસ.કે.મિશ્રા અને તેમની ટીમ દ્વારા સર્જરી કરવામાં આવી હતી. તેણીને બપોરે 1:30 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને આરામની સલાહ આપવામાં આવી છે.
Advertisement