Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરાડિયાથી રાણાવાવ બ્રોડગેજ સુધી ટ્રેનને જોડવા વડાપ્રધાનને રજૂઆત

કુતિયાણા-રાણાવાવના લોકપ્રિય ધારાસભ્ય કાંધલ જાડેજાએ વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદીને રજૂઆત કરી શાપુર-સલાડિયા નવાબી ટે્રનને પુન:સ્થાપીત કરી સરાડિયાથી રાણાવાવ બ્રોડગેજ સાથે જોડવા માગ કરી છે. ભવિષ્યની પેઢી માટે આ ટે્રન કરોડરજ્જુ બની શકે તેમ હોય જેથી લોકહીતમાં યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.શાપુર-સરાડિયા નવાબીકાળ રાજાશાહીથી 110 વર્ષ જુની ટે્રન તા.22.06.1983 શાપુર હોનારત સમયે વંથલી-મà
સરાડિયાથી રાણાવાવ બ્રોડગેજ સુધી ટ્રેનને જોડવા વડાપ્રધાનને રજૂઆત
કુતિયાણા-રાણાવાવના લોકપ્રિય ધારાસભ્ય કાંધલ જાડેજાએ વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદીને રજૂઆત કરી શાપુર-સલાડિયા નવાબી ટે્રનને પુન:સ્થાપીત કરી સરાડિયાથી રાણાવાવ બ્રોડગેજ સાથે જોડવા માગ કરી છે. ભવિષ્યની પેઢી માટે આ ટે્રન કરોડરજ્જુ બની શકે તેમ હોય જેથી લોકહીતમાં યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.
શાપુર-સરાડિયા નવાબીકાળ રાજાશાહીથી 110 વર્ષ જુની ટે્રન તા.22.06.1983 શાપુર હોનારત સમયે વંથલી-મેઘપુર વચ્ચે અમુક ભાગમાં ધોવાણ બાદ ટે્રન આજે 39 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે.વર્ષ 1977માં રેલવે સત્તાવાળાઓએ આ ટે્રન કોઇ બહાનાતળે બંધ કરી દેતા જે તે વખતના વિદ્યાર્થી આગેવાન રાકેશ લખલાણીએ વિદ્યાર્થી આંદોલન કરી ફરી પાછી આ ટે્રન શરૂ કરવામાં આવેલી હતી. પરંતુ આજે આ ટે્રન બંધ કરી દેવાને કારણે વંથલી, માણાવદર, બાંટવા જે કપાસ અને મગફળી ઉદ્યોગ માટે મોટુ હબ ગણાતું હતું તેમજ માણાવદરામાં ત્રણ સોલવેન્ટ, 150  જેટલી ઝીનમીલ તથા ઓઇલ મીલોને કારણે ઉદ્યોગોમાં અગ્રેસર રહેતું અને દેશ-વિદેશમાં કપાસનો વેપાર અવલ્લ નંબરે હતો તેમજ ધારાસભ્યએ લખેલ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ફરી આ ટે્રનને શાપુરથી સરાડિયા સુધી કાર્યરત કરી સરાડિયાથી આગળ ભાદર નદી ઉપર પુલ બનાવી વાયા કુતિયાણાથી રાણાવાવ અથવા વાંસઝાળિયા સાથે જોડવા રાકેશ લખલાણી દ્વારા બીનરાજકીય રીતે અભિયાન હાથ ધરવામાં આવેલ છે. 
પોરબંદર વિસ્તારને ઉદ્યોગ રીતે ગુજરાતમાં સૌથી પાછળ છે
આ અભિયાનમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા એ સંપુર્ણ ટેકો જાહેર કરવામાં આવેલ છે. સોરઠ જિલ્લો અને પોરબંદર વિસ્તારને ઉદ્યોગ રીતે ગુજરાતમાં સૌથી પાછળ છે જેથી આવતી પેઢીના વિકાસ માટે આ ટે્રન ભવિષ્યની પેઢી માટે કરોડરજ્જુ બની શકે તેમ હોય જેથી આ ટે્રન શરૂ કરવામાં આવે તેવી ખાસ વિનંતી છે. લોકપ્રિય ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાએ વડાપ્રધાનને પત્ર લખી શાપુર-સરાડિયા નવાબી ટે્રનને પુન:સ્થાપીત કરી સરાડિયાથી રાણાવાવ બ્રોડગેજ સાથે જોડવા લેખીતમાં માગ કરી હતી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.