Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બે થપ્પડ બની પ્રૌઢની હત્યાનું કારણ ! આરોપી પીધેલો પકડાયો

પોરબંદરના ભંગાર બજારમાં થયેલ હત્યાનો ભેદ કમલાબાગ પોલીસે ઉકેલ્યો છે. હત્યાના આરોપી માલદે પરમારે બોથડ પદાર્થ વડે મરણ જનાર રમેશને ઘા ઝીકી મોતને ઘાત ઉતાર્યો હતો. મરણ જનાર રમેશના પુત્ર ક્રિષ્નવ સાથે આરોપી માલદે પરમારે વાતચીત દરમિયાન `કાંઇ મેળ પડશે' તેવું કહેતા રમેશભાઇ કણજારાએ માલદે પરમારને બે થપ્પડો મારી હતી. ત્યારબાદ મરણ જનાર રમેશ કણજારાનો પીછો કરી તેની હત્યા કરી નાખી હતી. પોલીસ ફ
05:16 PM Jan 18, 2023 IST | Vipul Pandya
પોરબંદરના ભંગાર બજારમાં થયેલ હત્યાનો ભેદ કમલાબાગ પોલીસે ઉકેલ્યો છે. હત્યાના આરોપી માલદે પરમારે બોથડ પદાર્થ વડે મરણ જનાર રમેશને ઘા ઝીકી મોતને ઘાત ઉતાર્યો હતો. મરણ જનાર રમેશના પુત્ર ક્રિષ્નવ સાથે આરોપી માલદે પરમારે વાતચીત દરમિયાન `કાંઇ મેળ પડશે' તેવું કહેતા રમેશભાઇ કણજારાએ માલદે પરમારને બે થપ્પડો મારી હતી. ત્યારબાદ મરણ જનાર રમેશ કણજારાનો પીછો કરી તેની હત્યા કરી નાખી હતી. 
પોલીસ ફરિયાદ નોંધાઈ
પોરબંદર શહેરમાં ગઇ કાલે સવારના સમયે આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રૌઢની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવમાં પોલીસે આરોપી માલદે પરમારને ઝડપી લીધો હતો. સમગ્ર મામલે હત્યાના બનાવ ઉપર એવી વિગતો બહાર આવી છે કે મૃતક રમેશભાઇ ત્રિભોવન કણજારાના પત્ની મમતાબેન કે જેઓ મુળ ભાવનગરના છે અને હાલ ચોપાટી નજીક, રિલાયન્સ ફૂવારા સર્કલ પાસે ફૂટપાથ પર રહે છે અને લીલુ ઘાસ વેચવાનો ધંધો કરે છે, તેમણે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
થપ્પડ મારતા હત્યા
જેમાં જણાવ્યા મુજબ બગવદર ગામે રહેતા માલદે રામાભાઈ પરમાર નામના યુવાને રમેશભાઈના પુત્ર ક્રિષ્નવ સાથે વાતચીત દરમિયાન કોઈ બાબતે "કાંઈ મેળ પડશે” તેવું કહેતા રમેશભાઈ કણજારાએ માલદે પરમારને બે થપ્પડ મારી હતી અને ગાળાગાળી અને બોલાચાલી પણ થઈ હતી ત્યારબાદ ત્યાંથી આરોપી જતો હતો. પરંતુ માલદે ત્યારબાદ રમેશની પાછળ જતા ભંગાર બજાર સુધી બન્ને પહોંચ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા માલદે પરમારે કોઈ બોથડ પદાર્થ વડે રમેશને મોઢા તથા માથાના ભાગે ઝીંકી દીધા હતા, જેથી ઈજાગ્રસ્ત બનેલા રમેશનું મોત થયું હતું. તો કમલાબાગ પોલીસે તાત્કાલીક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપી માલદેને ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.  
આરોપી ઝડપાયો
પોરબંદર સીટી ડીવાયએસપી નિલમ ગૌસ્વામીએ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. પોરબંદરના ભંગાર બજાર સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. ભંગાર બજારમાં થયેલ હત્યાનો ભેદ કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલ્યો છે અને આરોપી માલદે પરમારને ઝડપી લીધો છે. મરણ જનાર રમેશભાઇ કણજારાએ માલદે પરમારને બે થપ્પડ મારી હતી. ક્યાંક આ થપ્પડ બાદ ઉશ્કેરાયજઇ રમેશ કણજારાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - પોલીસના ક્વીક રિસપોન્સથી એક વિદેશી નાગરિકને મળી યોગ્ય મદદ, જાણો સમગ્ર ઘટના
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeCrimeNewsGujaratFirstMurdermurdercasepolicePorbandarPorbandarPoliceપોરબંદરપોરબંદરપોલીસહત્યા
Next Article