Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને પાઠવ્યા અભિનંદન, કાશ્મીર પર પણ આપી દીધો જવાબ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા છે. શરીફને અભિનંદન આપતા પીએમ મોદીએ પણ તેમના 'કાશ્મીર રાગ' પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ભારત આતંકવાદ મુક્ત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે. પીએમ મોદીની આ અભિનંદન શાહબાઝ શરીફના પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ આવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું છે કે, શાહબાઝ શરીફન
pm મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને પાઠવ્યા અભિનંદન 
કાશ્મીર પર પણ આપી દીધો જવાબ

ભારતના વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા છે.
શરીફને અભિનંદન આપતા પીએમ મોદીએ પણ તેમના
'કાશ્મીર રાગ' પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ભારત આતંકવાદ મુક્ત
ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે. પીએમ મોદીની આ અભિનંદન શાહબાઝ શરીફના
પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ આવી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું છે કે, શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન.
ભારત આતંકવાદ મુક્ત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે
, જેથી આપણે આપણા વિકાસ પર ધ્યાન આપી શકીએ. તેમજ તેના લોકોની
સુખાકારી અને સમૃદ્ધિની ખાતરી કરી શકીએ.

Advertisement

Congratulations to H. E. Mian Muhammad Shehbaz Sharif on his election as the Prime Minister of Pakistan. India desires peace and stability in a region free of terror, so that we can focus on our development challenges and ensure the well-being and prosperity of our people.

— Narendra Modi (@narendramodi) April 11, 2022

" title="" target="">javascript:nicTemp();

શાહબાઝ શરીફને
અભિનંદન આપતી વખતે પીએમ મોદી દ્વારા આતંક અને શાંતિનો ઉલ્લેખ કરવો જરૂરી છે કારણ
કે શાહબાઝ શરીફે પીએમ બનતાની સાથે જ કાશ્મીર ધૂન ગાઈ હતી. શાહબાઝ શરીફે કહ્યું
હતું કે
, કમનસીબે અમે ભારત સાથે વધુ સારા સંબંધ
બનાવી શક્યા નથી. શાહબાઝ શરીફે વધુમાં કહ્યું કે અમે ભારત સાથે વધુ સારા સંબંધો
ઈચ્છીએ છીએ પરંતુ કાશ્મીરનો મુદ્દો ઉકેલ્યા વગર એ શક્ય નથી. એટલું જ નહીં
શરીફે એમ પણ કહ્યું કે નવાઝ શરીફ ભારત સાથે વધુ સારા સંબંધો ઈચ્છે
છે. ઓગસ્ટ
2019 માં કાશ્મીર સાથે જે થયું કલમ 370 નાબૂદ કરવામાં આવી. અમે કોઈ પગલું ભર્યું
નથી. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો
, શું છે કાશ્મીરીઓનું નસીબ? કાશ્મીરની ખીણમાં કાશ્મીરીઓનું લોહી વહી રહ્યું છે. ત્યાંના વાદીઓ
કાશ્મીરીઓના લોહીથી લાલ થઈ ગયા છે.

Advertisement


તમને જણાવી દઈએ કે
શાહબાઝ શરીફ પાકિસ્તાનના
23માં વડાપ્રધાન બન્યા છે. પીએમ બનતાની સાથે જ તેમણે ભારત અને
કાશ્મીર વિશે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમે ભારત સાથે વધુ સારા સંબંધો
ઈચ્છીએ છીએ
, પરંતુ જ્યાં સુધી કાશ્મીર મુદ્દે
શાંતિપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી તે શક્ય નથી. અમે કાશ્મીરી લોકોને તેમના હાથમાં
છોડી શકતા નથી.

Advertisement

Tags :
Advertisement

.