Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીએ ડેન્માર્ક ભારતીયોને કર્યું સંબોધન, કહ્યું – આજે વિશ્વ માટે ભારત દરેક રીતે ઉપયોગી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિદેશ જાય છે ત્યારે ત્યાં રહેતા ભારતીય લોકો સાથે વાતચીત કરવાનું ભૂલતા નથી. વડાપ્રધાન તેમના યુરોપ પ્રવાસ દરમિયાન ડેનમાર્કની રાજધાની કોપનહેગન પહોંચ્યા ત્યારે તેમણે ભારતીયો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે વિશ્વને વધુ સારું બનાવવા માટે ભારત અને ડેનમાર્કની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આબોહવાને થતા નુકસાનમાં ભારતની ભૂમિકા બહુ નજીવી છà«
04:49 PM May 03, 2022 IST | Vipul Pandya

વડાપ્રધાન નરેન્દ્ર
મોદી જ્યારે વિદેશ જાય છે ત્યારે ત્યાં રહેતા ભારતીય લોકો સાથે વાતચીત કરવાનું
ભૂલતા નથી. વડાપ્રધાન તેમના યુરોપ પ્રવાસ દરમિયાન ડેનમાર્કની રાજધાની કોપનહેગન
પહોંચ્યા ત્યારે તેમણે ભારતીયો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે વિશ્વને
વધુ સારું બનાવવા માટે ભારત અને ડેનમાર્કની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આબોહવાને થતા નુકસાનમાં ભારતની ભૂમિકા બહુ નજીવી છે. વિશ્વને બરબાદ કરવામાં
ભારતીયોની કોઈ ભૂમિકા નથી.
વડાપ્રધાન મોદીને સાંભળવા માટે
કોપનહેગનના ઓડિટોરિયમમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને મોદી-મોદીના નારા લગાવી
રહ્યા હતા. પીએમએ ભાષણ દરમિયાન ડેનિશ વડાપ્રધાન ફ્રેડ્રિકસનનો પણ આભાર માન્યો હતો.
વડાપ્રધાને કહ્યું કે
, આ સમયની સૌથી મોટી માંગ LIFE - એટલે કે જીવનશૈલી ફોર એન્વાયરમેન્ટને
પ્રોત્સાહન આપવાની છે. આ માટે યુઝ એન્ડ થ્રોની માનસિકતામાંથી બહાર આવવું પડશે.
તેમણે કહ્યું કે ભારત પાસે સ્કેલ અને ઝડપની સાથે શેર અને કાળજીનું મૂલ્ય છે. તેથી
વૈશ્વિક પડકારોને પહોંચી વળવા ભારતની ક્ષમતામાં રોકાણ કરવું એ સમગ્ર વિશ્વના
હિતમાં છે.

Tags :
DenmarkEuropeGujaratFirstPMModi
Next Article