Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનની સાન આવી ઠેકાણે, ભારત સાથે વેપાર માટે પાકિસ્તાનનું મોટું પગલું

પાકિસ્તાન લાંબા સમયથી પોતાની આર્થિક સ્થિતિને લઈને ચિંતિત છે. દરમિયાન હવે પાકિસ્તાને ભારત સાથે વેપાર માટે એક મોટું પગલું ભર્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભારત સાથે વેપાર માટે વેપાર પ્રધાનની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. પાકિસ્તાન લાંબા સમયથી ભારત સાથે વેપાર સંબંધો સુધારવાની વાત કરી રહ્યું છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાને કેબિનેટની બેઠક બોà
12:46 PM May 10, 2022 IST | Vipul Pandya

પાકિસ્તાન લાંબા સમયથી પોતાની
આર્થિક સ્થિતિને લઈને ચિંતિત છે. દરમિયાન હવે પાકિસ્તાને ભારત સાથે વેપાર માટે એક
મોટું પગલું ભર્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભારત
સાથે વેપાર માટે વેપાર પ્રધાનની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે.
પાકિસ્તાન લાંબા સમયથી ભારત સાથે વેપાર સંબંધો
સુધારવાની વાત કરી રહ્યું છે.
ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાને કેબિનેટની બેઠક બોલાવી હતી.
જેમાં વેપાર મંત્રીની નિમણૂક અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પછી
કેબિનેટે કમર ઝમાનને ભારતમાં વેપાર પ્રધાન તરીકે
નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો.


આ પહેલીવાર નથી જ્યારે
પાકિસ્તાન તરફથી આવો પ્રયાસ કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ પાકિસ્તાનના તમામ મોટા
અધિકારીઓ અને નેતાઓ ભારત સાથે વેપારની વાત કરી ચૂક્યા છે. ગયા મહિને પાકિસ્તાનના
બિઝનેસ ગ્રુપના ચેરમેને ભારત સાથે વ્યાપારી સંબંધો શરૂ કરવાની વાત કરી હતી. તેમનું
માનવું હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના વેપારને કારણે દેશમાં ચાલી રહેલી
મોંઘવારી ઓછી થઈ શકે છે. આ કારણે ઘણી વસ્તુઓની કિંમત સસ્તી થઈ શકે છે.

Tags :
GujaratFirstIndiaPakistanShahbazSharifTradetrademinister
Next Article