ઈમરાન ખાનની સુરક્ષાને ફુલપ્રૂફ બનાવવાનો આદેશ, સુરક્ષા માટે તમામ પગલા ભરવાના પણ નિર્દેશ કરાયા
પાકિસ્તાનના નવા
વડાપ્રધાન શાહબાઝ શરીફે ગૃહ મંત્રાલયને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ફુલ પ્રુફ
સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાનની સુરક્ષા માટે અસરકારક
અને તાત્કાલિક પગલાં લેવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. લાહોરમાં ઈમરાન ખાનની
રેલી પહેલા સુરક્ષા એજન્સીઓએ ગુરુવારે એક પત્ર જારી કર્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાન ખાને રેલીને વર્ચ્યુઅલ રીતે
સંબોધિત કરવી જોઈએ કારણ કે તેમના જીવને ગંભીર ખતરો છે. જોકે, ઈમરાન ખાને આમ કરવાનો ઈન્કાર કર્યો હતો.
વડાપ્રધાન કાર્યાલય
દ્વારા ટ્વિટર પર જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન શરીફે
ગૃહ મંત્રાલયને આ સંદર્ભે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. શહેબાઝ શરીફે કહ્યું કે શાંતિપૂર્ણ જાહેર સભાઓ લોકશાહીનો એક ભાગ છે
અને તેમાં કોઈ અડચણ ઉભી ન કરવા નિર્દેશ આપ્યો. લાહોર વહીવટીતંત્રે રેલીના આયોજકોને
ઇમરાન ખાન માટે બુલેટ-પ્રૂફ કવચ સ્થાપિત કરવા કહ્યું હતું અને ભૂતપૂર્વ વડાપ્રધાનને
સ્થળ પર અને ત્યાંથી મુસાફરી કરવા માટે બુલેટપ્રૂફ વાહનનો ઉપયોગ કરવાની સલાહ આપી
હતી.
ખાનની તહરીક-એ-ઈન્સાફ
(PTI)ને પાવર નિષ્ફળતાની સ્થિતિમાં કોઈપણ
અપ્રિય ઘટનાને ટાળવા માટે બેકઅપ પાવર જનરેટર સ્થાપિત કરવા માટે કહેવામાં આવ્યું
છે. ખાન મિનાર-એ-પાકિસ્તાનમાં એક રેલીને સંબોધિત કરવા માટે તૈયાર છે. જે 10 એપ્રિલ પછી લાહોરમાં તેમનો પ્રથમ પાવર
શો હશે.