નવા વર્ષના દિવસે કષ્ટભંજનદેવને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
લાખૌ ભકતોનું શ્રધ્ધાનું ધામ એટલે સાળંગપુર ધામ. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુરધામમાં દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે નવા વર્ષ નિમિત્તે હનુમાનજી દાદાને અદભુત સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. સાળંગપુર ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભકતો દાદાના દર્શન કર્યાં હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓનો પ્રવાહ સાળંગપુર ધામમાà
01:01 PM Oct 26, 2022 IST
|
Vipul Pandya
લાખૌ ભકતોનું શ્રધ્ધાનું ધામ એટલે સાળંગપુર ધામ. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુરધામમાં દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે નવા વર્ષ નિમિત્તે હનુમાનજી દાદાને અદભુત સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. સાળંગપુર ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભકતો દાદાના દર્શન કર્યાં હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓનો પ્રવાહ સાળંગપુર ધામમાં શરૂ જ છે.
ગોપીનાથજી મંદિરે પણ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો
તે સિવાય બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વ નુ તીર્થ ધામ ગણાતુ ગઢડા ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે 29 વર્ષ ગઢડામા રહીને પોતાની કર્મ ભૂમી બનાવી છે તે ગઢડા ગોપીનાથજી મંદિરે નવા વર્ષ નિમિત્તે દુર-દુરથી લોકો સવારના ગોપીનાથજી મહારાજના દર્શને આવી રહ્યા છે ત્યારે લોકો ગોપીનાથજી મહારાજના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી રહ્યાં છે.
Next Article