Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નીતીશે કહ્યું રાહુલ ગાંધીને વિપક્ષના PM કેન્ડીડેટ બનાવવામાં આવે તો કોઇ સમસ્યા નહીં

ભાજપ વિરૂદ્ધ વિપક્ષનો પ્રહાર ચાલુ છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાને કારણે વિપક્ષની રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવવાની માંગ ફરી એકવાર જોર પકડી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં તેમની સાથી કોંગ્રેસ દ્વારા આગામી સામાન્ય ચૂંટણીઓમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો આગ્રહ રાખવા સામે તેમને કોઈ સમસ્યા નથી. અહીં એક કાર્યàª
02:10 PM Dec 31, 2022 IST | Vipul Pandya
ભાજપ વિરૂદ્ધ વિપક્ષનો પ્રહાર ચાલુ છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાને કારણે વિપક્ષની રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવવાની માંગ ફરી એકવાર જોર પકડી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં તેમની સાથી કોંગ્રેસ દ્વારા આગામી સામાન્ય ચૂંટણીઓમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો આગ્રહ રાખવા સામે તેમને કોઈ સમસ્યા નથી. અહીં એક કાર્યક્રમની બાજુમાં પત્રકારો સાથે વાત કરતા, JDU નેતાએ એ વાતનો પણ પુનરોચ્ચાર કર્યો કે તેઓ  પોતે વડાપ્રધાન પદના "દાવેદાર નથી". આ સાથે તેમણે બીજેપીનો વિરોધ કરી રહેલા પક્ષોને એક કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
નીતીશ કુમાર મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથના તાજેતરના નિવેદન વિશે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા કે ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં "વિપક્ષનો પીએમ ચહેરો" હશે.
કમલનાથે કહ્યું રાહુલ દેશના સામાન્ય લોકોના હિતમાં રાજનીતિ કરે છે 
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે શુક્રવારે કહ્યું કે રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. કોંગ્રેસની દેશવ્યાપી ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરવા બદલ કમલનાથે રાહુલ ગાંધીની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ સત્તા માટે નહીં પરંતુ દેશના સામાન્ય લોકો માટે રાજનીતિ કરી રહ્યા છે.
દુનિયામાં આટલી લાંબી પદયાત્રા કોઇએ નથી કરીઃ કમલનાથ 
તેમણે કહ્યું, "જ્યાં સુધી 2024ની લોકસભા ચૂંટણીનો સવાલ છે, રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર પણ હશે." તેમણે એમ પણ કહ્યું કે દુનિયાના ઈતિહાસમાં આટલી લાંબી પદયાત્રા કોઈએ કરી નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈ પરિવારે દેશ માટે આટલું બલિદાન આપ્યું નથી. તેમણે કહ્યું, "રાહુલ ગાંધી સત્તા માટે રાજનીતિ નથી કરતા, પરંતુ દેશના લોકો માટે કરે છે."
આ પણ વાંચોઃ  ભારત જોડો યાત્રા વચ્ચે રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ, કહ્યું કે મને નથી લગતી ઠંડી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstNitishoppositionPMcandidaterahulgandhi
Next Article