Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નીતિશ કુમારનું રાજીનામું, હવે મહાગઠબંધન સાથે રચશે સરકાર

બિહારમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જેડીયુના નેતા નીતિશ કુમારે રાજભવન ખાતે રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મુલાકાત કરી અને તેમને રાજીનામું સોંપ્યું. રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યા બાદ નીતિશ કુમારે કહ્યું કે પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો વચ્ચે એ વાત પર સહમતિ હતી કે આપણે એનડીએ છોડી દેવી જોઈએ. તેમણે કહ્યું કે ભાà
11:37 AM Aug 09, 2022 IST | Vipul Pandya
બિહારમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જેડીયુના નેતા નીતિશ કુમારે રાજભવન ખાતે રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મુલાકાત કરી અને તેમને રાજીનામું સોંપ્યું. રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યા બાદ નીતિશ કુમારે કહ્યું કે પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો વચ્ચે એ વાત પર સહમતિ હતી કે આપણે એનડીએ છોડી દેવી જોઈએ. તેમણે કહ્યું કે ભાજપ સાથે કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે.
રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યા બાદ નીતીશ કુમાર આરજેડી નેતા તેજસ્વી યાદવને મળવા રવાના થયા હતા. આ પહેલા નીતીશ કુમારે જેડીયુના સાંસદો, ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નીતિશ કુમારે કહ્યું કે ભાજપે હંમેશા અપમાનિત કર્યા છે અને જેડીયુને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. સીએમએ કહ્યું કે 2020 થી તેમનું વર્તમાન ગઠબંધન તેમને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચિરાગ પાસવાનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે તે પણ આવું જ એક ઉદાહરણ છે. સીએમએ કહ્યું કે જો તેઓ હવે સજાગ નહીં થાય તો પાર્ટી માટે સારું નહીં થાય.
જેડીયુની બેઠકમાં પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદોએ સીએમ નીતિશ કુમારના નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું કે તેઓ તેમની સાથે છે. તેમણે કહ્યું કે તે જે પણ નિર્ણય લેશે તે હંમેશા તેમની સાથે રહેશે. બેઠક પછી, JD(U)ના રાષ્ટ્રીય સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વિટ કર્યું, "નવા ગઠબંધનનું તેના નવા સ્વરૂપમાં નેતૃત્વ કરવા બદલ નીતિશ કુમારને અભિનંદન."
જેડીયુ ઉપરાંત મહાગઠબંધનની પણ આજે બેઠક યોજાઈ છે. આ બેઠકમાં આરજેડીના ધારાસભ્ય, એમએલસી અને રાજ્યસભાના સાંસદોએ પક્ષના નેતા તેજસ્વી યાદવને નિર્ણય લેવા માટે અધિકૃત કર્યા અને કહ્યું કે તેઓ તેમની સાથે છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ધારાસભ્યો પહેલા જ કહી ચૂક્યા છે કે તેઓ તેજસ્વી યાદવની સાથે છે. 
આરજેડીના સૂત્રોનું કહેવું છે કે પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ પણ દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, પરંતુ તેજસ્વી યાદવ જ બધું કરી રહ્યા છે. આરજેડી નીતિશ કુમારને સમર્થન આપી શકે છે.
બીજી તરફ ભાજપે ઉપમુખ્યમંત્રી તારકિશોર પ્રસાદના ઘરે તેના ટોચના નેતાઓની બેઠક પણ યોજી છે. બિહાર સરકારમાં મંત્રી અને ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે અમે અમારી પાર્ટીને મજબૂત કરીએ છીએ, અમે કોઈ અન્ય પાર્ટીને નબળી નથી કરતા. હું પટના જાઉં છું. પાર્ટી નેતૃત્વ આ મામલે સત્તાવાર નિવેદન આપશે. અમે બિહારના લોકો માટે ઈમાનદારીથી કામ કર્યું છે.
Tags :
BiharGujaratFirstnitishkumarResignation
Next Article
Home Shorts Stories Videos