Mumbai Charter Plane Crash : મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન થયું ક્રેશ
મુંબઈમાં ભારે વરસાદને કારણે એક ચાર્ટર પ્લેન મુંબઈ એરપોર્ટના રનવે પરથી સરકી ગયું હતું. જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 8 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં કોઈ વીઆઈપી...
04:15 PM Sep 15, 2023 IST
|
Hiren Dave
મુંબઈમાં ભારે વરસાદને કારણે એક ચાર્ટર પ્લેન મુંબઈ એરપોર્ટના રનવે પરથી સરકી ગયું હતું. જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 8 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં કોઈ વીઆઈપી હાજર ન હતા. ચાર્ટર પ્લેન કેવી રીતે લપસી ગયું તેની તપાસ કરવામાં આવી રહી છે. ખરેખર, મુંબઈ એરપોર્ટ પર રનવે-27 પર ઉતરતી વખતે ચાર્ટર VT-DBL અટકી ગયું હતું. વિમાનમાં 06 મુસાફરો અને 02 ક્રૂ મેમ્બર સવાર હતા. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી 700 મીટર હતી.
Next Article